બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Arohi
Last Updated: 12:15 PM, 31 August 2022
ભારતીય સંસ્કૃતિમાં દાન-પુણ્યને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈ પણ તહેવાર ત્યા સુધી પુરો નથી થતો જ્યાં સુધી તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન ન કરો. કિન્નરોને પણ દાન આપવું પુણ્યનું કામ માનવામાં આવે છે.
કહેવાય છે કે કિન્નરોના આશીર્વાદથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. જોકે એવી 5 વસ્તુઓ છે જેનું તમારે ભૂલથી પણ કિન્નરોને દાન ન કરવું જોઈએ. નહીં તો તમને કંગાળ બનતા વાર નહીં લાગે. ચાલો જાણીએ આવી કઈ 5 વસ્તુઓ છે, જેને કિન્નરોને દાન કરવાથી બચવું જોઈએ.
કિન્નરોને જૂના કપડાં આપવાથી બચો
કિન્નરો સામાન્ય રીતે કોઈના ઘરે ત્યારે જ આવે છે જ્યારે તમારા પરિવારમાં લગ્ન હોય, બાળકનો જન્મ હોય કે અન્ય કોઈ શુભ કાર્ય થઈ રહ્યું હોય. આવી સ્થિતિમાં કિન્નરોના આગમન પર, ભૂલથી પણ તેમને જૂના કપડાં ન આપો.
આમ કરવાથી તમારા પરિવાર પર આફતોનો પહાડ તૂટી શકે છે અને ઘરની સંપત્તિ ખતમ થઈ શકે છે. તેથી, જ્યારે પણ શુભ કાર્ય દરમિયાન કિન્નરો તમારા ઘરે આવે છે. ત્યારે તેમને હંમેશા નવા કપડાં દાન કરો, જેથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે.
ભૂલથી પણ ન કરો સાવરણીનું દાન
બધા જાણે છે કે સાવરણી મા લક્ષ્મીનો પર્યાય માનવામાં આવે છે. આ તેમની પ્રિય વસ્તુઓમાંથી એક છે. આવી સ્થિતિમાં સાવરણીનું અપમાન કરવું, તેને ગંદકીમાં રાખવું અથવા તેનું દાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે.
તેથી સાવરણી ક્યારેય કિન્નરોને અથવા અન્ય કોઈ વ્યક્તિને દાન ન કરવી જોઈએ. જો તમે તેમને સાવરણી આપવા માંગો છો તો તેના માટે તેમને પૈસા આપો. જેથી તેઓ પોતે દુકાન પર જાય અને તે ખરીદી શકે.
કિન્નરોને ક્યારેય ન કરો તેલનું દાન
દરેક ઘરના રસોડામાં તેલનો ઉપયોગ થાય છે. તેલનો ઉપયોગ શરીર પર લગાવવા માટે પણ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રસોડાના તેલને ભૂલથી પણ કિન્નરોને દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરિવાર પર મોટી આફત આવી શકે છે અને ઘરની તમામ ખુશીઓ અને વૈભવ સમાપ્ત થઈ શકે છે.
સ્ટીલનો સામાન આપવો માનવામાં આવે છે અશુભ
કિન્નરો હંમેશા શુભ પ્રસંગોએ તમારા પરિવારને આશીર્વાદ આપવા આવે છે. તેઓને આવા પ્રસંગોએ સ્ટીલની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં માનસિક અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે અને પરિવારના સભ્યોમાં ક્લેશની સ્થિતિ બની શકે છે. ઈલાજ શક્ય નથી તેવા રોગો પણ તમારા પરિવારને ઘેરી શકે છે.
પ્લાસ્ટિકનો સામાન આપવાની ન કરો ભૂલ
ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કિન્નરો કોઈ પણ શુભ અવસર પર તેમને આશીર્વાદ આપવા ઘરે આવે છે ત્યારે તેમણે પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારના સભ્યોની પ્રગતિ અટકી શકે છે. તેની સાથે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners