જો દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય પરંતુ જો દિવસની શરૂઆત જ ખરાબ થાય તો આખો દિવસ કંટાળા જનક નિકળે છે.
ઘણી વખત કંઇક ખરાબ કાર્ય થાય તો આપણે મનોમન કહીએ છીએ કે સવાર સવારમાં કોનુ મોઢુ જોયુ... જેથી માનવામાં આવે છે કે દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ આનંદ ઉલ્લાસ સાથે નિકળે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દિવસની શરૂઆત સારી કરવા માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવા જેવુ હોય છે. આજે અમે તમને જણાવશું કે દિવસની સારી શરૂઆત માટે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે.
ઘણા લોકોને સવારમાં ઉઠતાની સાથે પોતાનો ચહેરો અરીસામાં જોવાની આદત હોય છે. જેને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત સવારમાં ઉઠીને પોતાની કે બીજા કોઇની પરછાઇ જોવી પણ અશુભ છે. જેથી ડર અને તણાવ વધે છે.
આ ઉપરાંત સવાર સવારમાં ઘરની બહાર કુતારાંઓને ઝગડતાં જોવુ પણ અશુભ માનવામાં આવે છે. આ સાથે સવારમાં કોઇપણ હિંસક પ્રાણીઓનો ફોટો પણ ન જોવો જોઇએ.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સવારમાં ઉઠીને પોતાની હથેળી જોઇ ઇષ્ટદેવનું સ્મરણ કરવું જોઇએ આ ઉપરાંત ઘરના વડિલોના આશિવાર્દ મેળવવા જોઇએ જેથી તમારો દિવસ આનંદ ઉલ્લાસ સાથે વિતે અને તમને તમારા કાર્યમાં સફળતા મળે.