કૂટનીતિ અને અર્થશાસ્ત્રના જાણકાર આચાર્ય ચાણક્યએ સારુ જીવન જીવવા માટે ઘણી મહત્વની વાતો આપણને જણાવી છે.
ચાણક્ય નીતિ પ્રમાણે જીવનમાં કરો કામ
ક્યારેય કોઇનું અપમાન ન કરવું જોઇએ
ભૂલથી પણ આવું વર્તન ન કરતાં
આ વાતોને જો આપણા જીવનમાં ઉતારીશું તો જીવનમાં ક્યારેય દુઃખ નહી આવે પરંતુ જો આ એક વાતને તમે ઇગ્નોર કરશો તો જીવનભર દુઃખી રહેવાનો વારો આવશે.
ક્યારેય ન કરો કોઇનું અપમાન
ચાણક્યની વાતોમાં સૌથી મહત્વની વાત છે કે ક્યારેય કોઇનું અપમાન ન કરવું જોઇએ. જ્યારે આપણે કોઇનું અપમાન કરીએ છીએ ત્યારે તે વધારે માત્રામાં આપણને પાછું મળે છે. માટે કોઇનું પણ અપમાન કરતાં પહેલા 100 વાર વિચાર કરી લેજો. વ્યક્તિ એકવાર પ્રશંસા ભૂલી જાય છે પરંતુ અપમાન ક્યારેય ભૂલતી નથી.
બોલ્યા વગર અપમાન
આચાર્ય ચાણક્ય કહે છે કે અપમાન માત્ર અપશબ્દ કહીને નથી થતું પરંતુ ઘણીવાર બોલ્યા વગર પણ સામેની વ્યક્તિનું અપમાન થઇ જતું હોય છે. વાણીની સાથે તમારા કર્મોને પણ ધ્યાનમાં રાખો. ક્યારેય પણ કોઇનું અપમાન કરીને તમારી ઇમેજ ખરાબ ન કરો. જાણે અજાણે ક્યારેય પણ તમારાથી કોઇનું અપમાન થઇ ગયું હોય તો તેની માફી માંગી લેવી જોઇએ.
આચાર્ય ચાણક્યને એક કુશળ રણનીતિકાર, રાજનીતિજ્ઞ અને કૂટનીતિકાર માનવામાં આવે છે. તેમણે પોતાની નીતિઓની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યા હતા. ચાણક્યએ પોતાની નીતિઓનું વર્ણન ચાણક્ય નીતિમાં કહ્યું છે. આ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. કહેવાય છે કે ચાણક્યની નીતિઓનું પાલન કરનાર લોકોને જીવનમાં સફળતા જરૂર મળે છે. ચાણક્યએ પોતાની એક નીતિમાં વ્યક્તિની એ આદતોનો ઉલ્લેખ કર્યો છે જેના કારણે વ્યક્તિની પાસે ધન નથી રોકાતુ.
મોડે સુધી સુવુ
ચાણક્ય કહે છે કે સવારે મોટા સુધી સુઈ રહેનાર લોકો પર માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી. આવા લોકોને હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ચાણક્ય અનુસાર જે વ્યક્તિ સવારે જલ્દી ઉઠે છે. તે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ્ય હોય છે.