મહાપુરાણ માનવામાં આવતા ગરુડપુરાણમાં જીવન અને મૃત્યુ વિશે ખુબ મહત્વની વાતો કહેવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે કેટલાક કામ તમને મોતના દરવાજે લાવીને ઉભા કરી દે છે.
ગરુડપુરાણ પ્રમાણે આ કાર્યો ન કરવા
મોતના દરવાજે ઉભા કરી દેશે
લાંબુ અને હેલ્ધી જીવવા આ કાર્યો ન કરવાં
ગરુડપુરાણમાં સારું જીવન, શાંત અને આસાન મોતથી લઇને આત્મા સાથે થનારા વર્તાવને લઇને વિસ્તારથી કહેવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર જો લાંબુ અને હેલ્ધી જીવવું છે તો કેટલાક કામો કરવાથી બચવું જોઇએ.
મોત રાહ જોતી થઇ જશે
આ કામ ભલે સામાન્ય લાગે પરંતુ તેનું પરિણામ ખુબ ખતરનાક હોય છે અને મોત તમારી રાહ જોતી થઇ જશે. ગરુડપુરાણ અનુસાર પોતાનું જીવન સારી રીતે જીવવું છે તો આ કામો કરવાથી બચવું જોઇએ.
અંતિમ સંસ્કારમાં મોડે સુધી રોકાવું
કોઇ પણ વ્યક્તિના અંતિમ સંસ્કારમાં જાઓ તો ત્યાં વધારે સમય ન રોકાઓ. મૃતદેહના સંપર્કમાં વધારે સમય રહેવું જીવન પર ભારે પડી શકે છે કારણકે લાશમાં કેટલાય પ્રકારના બેક્ટેરિયા હોય છે જે અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે. બીમારીઓથી બચવું છે તો લાશ પાસે વધારે સમય ન રહો અને આવ્યા બાદદ નહાઇને કપડા બદલી લો.
વાસી માંસ ખાવું
ક્યારેય પણ વાસી માંસનું સેવન ન કરો કારણકે તે બીમારીનું ઘર માનવામાં આવે છે. સડેલુ માસ ખાવા પર ભારે પડી શકે છે.
રાત્રે દહીં ખાવું
રાતના સમયે દહીં ખાવું બીમારીઓને આમંત્રણ આપે છે. સામાન્ય રીતે નુકસાનની ગંભીરતાાને લોકો સમજી શકતાં નથી.
મોડે સુધી ઉંઘવુ
મોડા સુધી ઉંઘી રહેવાથી પણ શરીરને નુકસાન થાય છે. સવારે તાજી હવામાં વ્યાયામ કરવો જરૂરી છે. બીમારીઓનું ઘર બનાવી દે છે.