ધર્મ પુરાણોમાં કારતક મહિનાને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ.
કારતક મહિનામાં ભગવાન વિષ્ણુ અને તુલસીની પૂજાનું ખાસ મહત્વ છે
કારતક મહિનામાં ક્યા કામો ન કરવા જોઈએ..
આ મહિનામાં આવા કામો કરવાથી મા લક્ષ્મીક્રોધિત થઈ શકે છે
આસો મહિના બાદ કારતક મહિનાની શરૂઆત થાય છે અને આ મહિનામાં વર્ષનાં ઘણા મોટા મોટા તહેવાર મનાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં કાર્તિક મહિનાને અત્યંત પવિત્ર અને પૂજા પાઠનો મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તુલસીની પૂજાનું ખાસ મહત્વ છે. આ વર્ષે કાર્તિક મહિનાની શરૂઆત 25 ઓક્ટોબરથી થશે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રિય માસમાં વિશેષ પૂજા, સ્નાન અને દાન કરવાથી પાપોનો નાશ થાય છે.
ધર્મ પુરાણોમાં કારતક મહિનાને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ. સાથે જ કેટલાક કામ વર્જિત હોવાનું પણ કહેવામાં આવ્યું છે. આજે અમે તમને કારતક મહિનામાં ક્યા કામ કરવા કે નહીં એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો કે એ મહિનામાંમાં ભૂલથી પણ આ કામો ન કરવા જોઈએ નહીં તો લક્ષ્મીમા ક્રોધિત થઈ શકે છે.
કારતક મહિનામાં ક્યા કામો ન કરવા જોઈએ..
- ભગવાનના પ્રિય મહિના કારતક મહિનામાં મોડે સુધી ન સૂવું જોઈએ અને આ મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ.
- સાથે જ આ મહિનામાં લસણ, ડુંગળી, માંસાહારી જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. કારતક માસમાં સાત્વિક આહાર જ ખાવો જોઈએ.
- કારતક મહિનામાં ઘરમાં તામસિક વસ્તુઓ લાવવી પણ વર્જિત માનવામાં આવે છે. એવી વસ્તુઓ લાવવાથી મા લક્ષ્મી રૂઠી જાય છે અને ત્યાં ક્યારેય વાસ કરતી નથી.
- કારતક મહિનામાં સ્નાન, દાન, પૂજા, ભોજન અને દિનચર્યાને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવું આવશ્યક છે.
- કારતક મહિનામાં જમીન પર સૂવું જોઈએ. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
- કારતક મહિનામાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને વ્યક્તિએ પોતાની ઈન્દ્રિયો પર સંયમ રાખવો જોઈએ સાથે જ મનમાં ખોટા વિચારોને પ્રવેશવા દેવા જોઈએ નહીં.
- કારતક મહિનામાં કોઈપણ સ્ત્રીનું અપમાન ન કરવું. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.