હિંદુ ધર્મમાં કારતક પૂનમનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાનનું મહત્વ વધારે ગણાયું છે. કેટલાક ખાસ નિયમોના પાલન કરવાથી વધારે લાભ મળે છે. કારતક પૂનમે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું અને તેને કરવાથી બચવું જોઈએ.
કારતક પૂનમનું છે મહત્વ
ભૂલથી પણ આજે ન કરશો આ કામ
સ્નાન -દાનનો રહે છે વિશેષ મહિમા
મોડે સુધી ન સૂઓ
આ દિવસે મોડે સુધી ન સૂઓ. કારતક પૂનમના દિવસે સ્નાનને શુભ માનવામાં આવે છે. સવારે સ્નાન કરતી સમયે પાણીમાં ગંગાજળનાં ટીપાં ઉમેરી લો.
તુલસીના પાન ન તોડો
કારતક પૂનમના દિવસે તુલસીની પૂજાનું પણ ખાસ મહત્વ હોય છે. આ દિવસે તુલસીના પાન ન તોડવા અને સાથે તુલસીના છોડને જડથી ઉખાડવા નહીં.
અડદ અને મસૂરની દાળ ન ખાઓ
આ દિવસે અડદ અને મસૂરની દાળ ન ખાઓ, આ સિવાય રીંગણ, કારેલા, લીલા શાકને પણ શક્ય હોય ત્યાં સુધી ન ખાઓ.
ઘરનો મુખ્ય દરવાજો ન રાખો ખાલી
ઘરના મુખ્ય દરવાજાને ખાલી ન રાખો. મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો. કેરીના પાનના તોરણ બાંધો. આમ કરવું શુભ ગણવામાં આવે છે.
લડાઈ ઝઘડા ન કરો
કારતક પૂનમના દિવસને આધ્યાત્મિક માનવામાં આવે છે. આ દિવસે અનેક દેવતાઓને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ ન કરો. લડાઈ ઝઘડા ન કરો અને શાંતિનો માહોલ રાખો.
તામસિક ભોજન ટાળો
કારતક પૂનમને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે તામસિક ભોજનને ટાળવું જોઈએ, શક્ય હોય તો ડુંગળી અને લસણનો ઉપયોગ પણ આ દિવસે ન કરવો.
કોઈનું અપમાન ન કરો
ભગવાન કોઈ પણ રૂપે આવી શકે છે. આ દિવસે કોઈ પણ અપશબ્દ ન બોલો અને કોઈનું મન દુભાય તેવું કામ ન કરો. ક્રોધ પર કાબૂ રાખો અને સાથે વિચારીને બોલો.
જરૂરિયાતવાળાને ખાલી હાથે ન જવા દો
કારતક પૂનમે દાન દક્ષિણાનું વિશેષ મહત્વ છે. આ દિવસે તમારા ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ન જાય તેનું ધ્યાન રાખો તે જરૂરી છે.