ગુજરાતમાં લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસીના છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. તુલસીના છોડમાં અનેક ઔષધિય ગુણો પણ રહેલા છે. તેનાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા થાય છે ત્યાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો તમે આ કામ ન કરશો.
તુલસીનો છોડ છે પવિત્ર
છોડની આસપાસ ન કરો આ કામ
થઈ શકે છે અનિષ્ટ
તુલસીના છોડની આસપાસ ભીના કપડાં ન સૂકવવા. તે ઘરમા આવતી સકારાત્મક ઉર્જાને નુકસાન કરે છે. ભીના કપડાં સૂકવવાથી તુલસી માતા નારાજ થઈ જાય છે.
તુલસીના છોડની આસપાસની જગ્યા સ્વચ્છ રાખો. જો અહીં ગંદગી રહેશે તો ઘરમાં અશાંતિ અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
તુલસીની બાજુમાં મોટાભાગે લોકો ગણેશજીની મૂર્તિ પણ રાખે છે. જેને અશુભ માનવામાં આવે છે. તુલસીની સાથે ગણેશજીને રાખવાથી દરિદ્રતા આવે છે. તેથી ભૂલથી પણ આવું સ્થાપન ન કરો.
તુલસીના છોડની પાસે ક્યારેય બૂટ ચંપલ ન કાઢો. જો તમે ઘરના આંગણામાં તુલસી ક્યારો રાખ્યો છે તો આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થતો નથી. ઘરમાં આર્થિક તંગી અનુભવાતી રહે છે.
તુલસીના છોડથી થાય છે આ લાભ
રસોડાની પાસે તુલસી રાખવાથી ઘરમાં ઝઘડા ઓછા થશે.
બાળક માતા-પિતાનું કહેવું ન માનતા હોય તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસી છોડ મુકો.
દીકરીના લગ્ન ન થતા હોય તો દક્ષિણ-પૂર્વ દિશામાં તુસીનો છોડ રાખવો જોઈએ અને કન્યા દ્વારા રોજ પાણી ચડાવવાથી તેના લગ્ન જલ્દી થઇ જાય છે.
પૂનમના દિવસે કાચું દૂધ ચડાવવાથી ધંધામાં આવતી અડચણ દૂર થશે.
પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખી રોજ સવારે તેના પાન ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થાય છે.