ધનતેરસ પર કુબેર અને ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવી વસ્તુંની ખરીદીને શુભ માનવામાં આવે છે પરંતુ આ વસ્તુઓનું ધ્યાન રાખજો.
ધનતેરસ પર ન કરતાં આ ભૂલો
લક્ષ્મીજી થઇ જશે નારાજ
ધન સંબંધિત પ્રશ્નો ઉકેલતા નહી થાકો
ઘરમાં કચરો ન રાખો
દિવાળી પહેલા લોકો ઘરના ખૂણાની સફાઇ કરતા હોય છે પરંતુ જો ધનતેરસ સુધી તમે કચરો ભરી રાખશો તો નકારાત્મક ઉર્જાનો વિસ્તાર થશે.
મુખ્ય દ્વાર પર ગંદકી
ઘરના મુખ્ય દ્વાર કે મેઇન રૂમ સામે બેકાર વસ્તુઓ બિલકુલ ન રાખો. મુખ્ય દ્વારને નવા અવસરો સાથે જોડીને જોવામાં આવે છે. માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે.
માત્ર કુબેરની પૂજા ન કરવી
જો તમે માત્ર કુબેરની પૂજા કરશો તો તે મોટી ભૂલ હોઇ શકે છે. આ દિવસે કુબેરની સાથે માતા લક્ષ્મી અને ધનવંતરીની પણ પૂજા કરવી જોઇએ
આખો દિવસ ખરીદી ન કરો
મોટાભાગના લોકો ધનતેરસ પર માત્ર વસ્તુઓ જ ખરીદે છે. મૂર્હુતના હિસાબે ખરીદી કરશો તો શ્રેષ્ઠ પરંતુ ઘરે દિવો કરવાનું ન ભૂલતા
દિવસના સમયે ન સૂતા
આજના દિવસે બપોરે કે સાંજે ઉંઘવાથી બચવું જોઇએ. આવું કરવાથી દરિદ્રતા આવે છે. સંભવ હોય તો રાત્રિ જાગરણ કરો.
ઘરમાં કલેહ ન કરો
ધનતેરસના દિવસે ઘરમાં કલેહ ન કરવો જોઇએ. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ઘરની સ્ત્રીઓનું સન્માન કરો.
કોઇને ઉધાર ન આપો
ધનતેરસના દિવસે કોઇને પણ રૂપિયા ઉધાર ન આપવા જોઇએ. આવું કરવાથી લક્ષ્મીનો પ્રવાહ બહાર જાય છે.