હિંદુ શાસ્ત્રોમાં દરેક વસ્તુ માટે વિશેષ નિયમો છે. એવું માનવામાં આવે છે કે તે નિયમોનું પાલન કરવાથી પરિવાર અને જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. આ ઉપરાંત ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
હિંદુ શાસ્ત્રોમાં દરેક વસ્તુ માટે છે વિશેષ નિયમો
સાંજના સમયે ભૂલ પણ ન બંધ કરવો જોઈએ દરવાજો
કોઈની સાથએ સોય અને લસણ-ડુંગળીની ન કરવી આપ-લે
આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે સાંજના સમયે ક્યા કામ ન કરવા જોઈએ.
દરવાજો બંધ ન હોવો જોઈએ
ઘરના દરવાજા સાંજે ખાસ કરીને સૂર્યાસ્ત સમયે ખુલ્લા રાખવા જોઈએ. આ સિવાય ઘરનો મુખ્ય દરવાજો પણ બંધ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. તેથી સૂર્યાસ્ત થાય ત્યારે દરવાજો ખુલ્લો રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે.
સોય અને લસણ-ડુંગળીની આપલે
એવું માનવામાં આવે છે કે સાંજે ભૂલથી પણ પણ કોઈને સોય અને લસણ-ડુંગળી ન આપવી જોઈએ. તેમજ સાંજે કોઈએ આપેલ લસણ-ડુંગળી કે સોય ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં રહેવા લાગે છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે સાંજે આ વસ્તુઓને ઘરમાંથી દૂર કરવી પણ અશુભ છે. આમ કરવાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ ઘટે છે.
સાંજે ભોજન કરવું વર્જિત
સાંજે ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે. મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે સૂર્યાસ્ત સમયે ભોજન કરવાથી આયુષ્ય ઘટે છે. તેમજ સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે. આ સિવાય આ સમયે ખોરાક ખાવાની સીધી અસર મન-મગજ અને પાચન પર પડે છે. તેની સાથે જ ધનની ખોટ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે.
સાંજે ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું દાન
કેટલાક લોકોમાં બીજા વ્યક્તિઓ પાસેથી કપડા લઇને પહેરવાની આદત હોય છે પરંતુ જ્યોતિષ અનુસાર બીજાના કપડા, જૂતા, ઘડિયાળ વગેરે ન પહેરવું જોઇએ. તેનાથી તે નેગેટિવ ઉર્જા તમારામાં પણ આવી જાય છે. જો તમે કોઇ વ્યક્તિ પાસેથી ઘડિયાલ લીધી હોય તો સાંજે ક્યારેય પાછી ન આપવી જોઇએ.
સૂર્યાસ્ત બાદ ક્યારેય પણ કોઇ વ્યક્તિને ઉધાર ન આપો, કહેવાય છે કે માતા લક્ષ્મી સાંજના સમયે જ ઘરે આવે છે અને સાંજે તમે ઉધાર આપશો તો ઘરમાં દરિદ્રતા આવી જશે.
સાંજના સમયે દાનમાં કે આડોસ પાડોશમાં ખાટી વસ્તુઓ ન આપો, તેનાથી ઘરની લક્ષ્મી તેમના ઘરે જતી રહે છે.
સૂરજ આથમ્યા બાદ કોઇને દાનમાં મીછુ અને હળદર ન આપવી જોઇએ, તેનાથી ધનહાનિ થશે.