જ્યોતિષીઓનું કહેવું છે કે 7 માર્ચે યોજાનારા હોળીકા દહનના દિવસે આપણે ભૂલથી પણ 5 કામ ન કરવા જોઈએ, નહીં તો જીવનભર પસ્તાવું પડશે.
હોળીકા દહન 7 માર્ચે સાંજે કરવામાં આવશે
હોળીકા દહનના દિવસે ભૂલથી પણ 5 કામ ન કરવા
આ રંગના કપડાં પહેરવાનું ટાળો
હિન્દુ ધર્મમાં હોળી અને દિવાળીની ગણતરી મોટા તહેવારોમાં કરવામાં આવે છે. હોળી, રંગોનો તહેવાર, સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ, ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળમાં હોળીકા દહન થાય છે અને તેના બીજા દિવસે એટલેકે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાએ હોળી રમાય છે. આ વર્ષે હોળીનો તહેવાર માર્ચના બીજા અઠવાડિયામાં છે. એટલેકે ધૂળેટી 8 માર્ચે બુધવારે મનાવવામાં આવશે. આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં.
હોળીકા દહનનો શુભ સમય
ફાગણ મહિનાની પૂનમ તિથિ 06 માર્ચ, 2023 ના રોજ બપોરે 02:47 વાગ્યે શરૂ થશે. તે 07 માર્ચ, 2023 ના રોજ સાંજે 04:39 વાગ્યે સમાપ્ત થશે. હોલિકા દહન સાંજે કરવામાં આવશે. એટલે કે આ વખતે હોળીકા દહન 7 માર્ચે સાંજે કરવામાં આવશે.
જ્યોતિષીઓનું કહેવું છે કે 7 માર્ચે યોજાનારા હોળીકા દહનના દિવસે આપણે ભૂલથી પણ 5 કામ ન કરવા જોઈએ, નહીં તો જીવનભર પસ્તાવું પડશે.
આ રંગના કપડાં પહેરવાનું ટાળો
જ્યોતિષશાસ્ત્રી અનુસાર હોળીકા દહનના દિવસે કાળા અથવા પીળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જણાવી દઈએ કે એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે આ બંને રંગ નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જેના કારણે પરસ્પર સંબંધો બગડે છે.
કીમતી વસ્તુ કે પૈસા ઉધાર ન આપો
હોળીકા દહનના દિવસે પૈસા કે અન્ય કિંમતી ચીજવસ્તુઓ ઉદ્ધાર ન આપવી જોઈએ. એવું કહેવાય છે કે એ દિવસે પૈસા અથવા કિંમતી વસ્તુઓ બીજાને આપવાથી ઘરમાં આર્થિક સંકટનો સમયગાળો શરૂ થાય છે.
રસ્તા પર પડેલ વસ્તુઓ ન અડકવી
હોળીકા દહનના દિવસે ઘણી વખત અજીબ વસ્તુઓ રસ્તાઓ પર અજીબ વસ્તુઓ વિચિત્ર હાલતમાં પડેલી જોવા મળે છે. આ બધી વસ્તુઓ પર મેલીવિદ્યા હોઈ શકે છે, જે તમારા પર ખરાબ અસર કરી શકે છે. એટલા માટે આવૈ વસ્તુઓનો સ્પર્શ ન કરવો જોઈએ.
વાળને ખુલ્લા ન રાખો
હોળીકા દહનના દિવસે મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. એ દિવસે શક્ય હોય તો વાળમાં તેલ લગાવો અને તેને યોગ્ય રીતે બાંધો. એવું માનવામાં આવે છે કે ખુલ્લા વાળથી નકારાત્મક ઊર્જા આકર્ષિત થઈ શકે છે.
બહારના લોકો ખોરાક આપે એ ન ખાવો
હોળીકા દહનના દિવસે જો કોઈ બહારના લોકો કે અજાણી વ્યક્તિ તમને ખાવા માટે કોઈપણ વસ્તુ આપે કે પીવા માટે કઈં પણ આપે તો તેનું ગ્રહણ ન કરવું જોઈએ.
હોળાષ્ટકમાં ના કરો આ કામ
આ વર્ષે હોળાષ્ટક 8 નહિ પરંતુ 9 દિવસના છે. આ વર્ષે હોળાષ્ટક 27 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી છે. હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમથી લઇને ફાગણ પૂર્ણિમાની રાત્રે હોળીકા દહન થાય ત્યાં સુધી રહે છે. જ્યોતિષ મુજબ આ 9 દિવસના હોળાષ્ટકમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરૂ, બુધ, મંગળ અને રાહુ ગ્રહ ઉગ્ર રહે છે. આ ઉગ્ર ગ્રહોની નકારાત્મક અસર માંગલિક કામો પર પડે છે તેથી હોળાષ્ટક દરમ્યાન શુભ કામ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ કે હોળાષ્ટકમાં કયા કામ ના કરવા જોઈએ.
-હોળાષ્ટકમાં લગ્ન, મુંડન, નામકરણ, સગાઈ સહિત બધા શુભ કામ ના કરવા જોઈએ.
-ફાગણ શુક્લ આઠમથી લઇને પૂનમ દરમ્યાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનુ નિર્માણ શરૂ ના કરવુ જોઈએ.
-હોળાષ્ટક દરમ્યાન નવુ ઘર, કાર, જમીન વગેરે પણ ના ખરીદવુ જોઈએ અને બુકિંગ પણ ના કરવુ જોઈએ.
-હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ. જો કે, ભગવાનનુ ભજન-કીર્તન કરવુ ઘણુ શુભ હોય છે.