Credit cardમાંથી કેશ ઉપાડવાની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જોકે આવી ભુલ ક્યારેય ન કરતા. જાણો કેમ
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો વાંચી લેજો
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
કેશ ઉપાડવાથી થાય છે નુકસાન
જો આજના જમાનામાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લગભગ દરેક લોકો કરતા હશે. આ ખૂબ જ કામની વસ્તુ છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તમારી પાસે કોઈ પણ ખરીદી પર પેમેન્ટ કરવા માટે લગભગ 50 દિવસનો ઈન્ટ્રેસ્ટ ફ્રી ટાઈમ હોય છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો અમુક વાતો પર ધ્યાન રાખવું જરૂરી છે.
દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ હોય છે. તે ઉપરાંત બિલિંગ ડેટ હોય છે અને તેનાથી લગભગ 20 દિવસ બાદ સુધી પેમેન્ટ માટે ડ્યુ ડેટ હોય છે. જો તમે ડ્યુ ડેટ પહેલા બીલ ચુકવો છો તો આ ખૂબ જ સારી વાત છે. એવામાં તમારે વધારાનો કોઈ પણ એડિશનલ ચાર્જ નથી આપવાનો રહેતો. ફાઈનાન્શિયલ એક્સપોર્ટ્સનું કહેવું છે કે જો તમે પોતાની ક્રેડિટ લિમિટના 30 ટકાનો જ ઉપયોગ કરો છો અને સમય પર પેમેન્ટ કરો છો તો તમારો સિબિલ સ્કોર મજબૂત થાય છે.
જો તમે દર મહિને ક્રેડિટ લિમિટના 30 ટકાથી વધારેનો ઉપયોગ કરો છો અને ટાઈમ પર પેમેન્ટ પણ કરો છો તો આ સારી સ્થિતિ નથી. સરળ શબ્દોમાં એ સમજી લો કે કાર્ડને મંથલી બિલ ક્રેડિટ લિમિટને 30 ટકા સુધી મર્યાદીત રાખો.
બને તો કેશ ન ઉપાડો
ક્રેડિટ કાર્ડમાં કેશ ઉપાડવાની પણ સુવિધા આપવામાં આવે છે. જોકે એવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કેશ ઉપાડવા પર ઈન્ટ્રેસ્ટ ફ્રી પીરિયડ નથી મળતું. આ ઉપરાંત તમને ઘણા પ્રકારના એડિશનલ ચાર્જીસ પણ જમા કરાવવાના હોય છે. HDFC બેન્કની વેબસાઈટ અનુસાર જ્યારે તમે ક્રેડિટ કાર્ડમાંથી કેશ ઉપાડો છો તો 2.5થી 3 ટકા સુધી કેશ એડવાન્સ ફી જમા કરવાની હોય છે.
એડવાન્સ ફી મિનિમમ 250 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની હોઈ શકે છે. જે દિવસે તમે કેશ ઉપાડો છો તે દિવસથી વ્યાજ શરૂ થઈ જાય છે. આ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સંપૂર્ણ રીપેમેન્ટ ન કરી દેવામાં આવે. આ ઉપરાંત દર મહિને 2.5થી 3.5 ટકા સુધી ઈન્ટ્રેસ્ટ જમા કરવાનું હોય છે. તે ઉપરાંત કેશ ઉપાડવી તમારા ક્રેડિટ સ્કોરને પણ નબળી બનાવે છે.
મિનિમમ પેમેન્ટ વાળા ચક્કરમાં ન પડો
ક્રેડિટ કાર્ડના બિલનું જ્યારે રીપેમેન્ટ કરવામાં આવે છે તો મિનિમમ પેમેન્ટનો પણ ઓપ્શન આપવામાં આવે છે. ફાઈનાન્શિયલ એક્સપર્ટની એ સલાહ છે કે હંમેશા ફૂલ પેમેન્ટ અને તે પણ સમય રહેતા કરી દેવું જોઈએ.
જો તમે મિનિમમ પેમેન્ટ કરો છો તો 50 દિવસની ઈન્ટ્રેસ્ટ ફ્રી પીરિયડનો પણ લાભ નહી મળે અને ટ્રાન્ઝેક્શન વાળા દિવસથી ઈન્ટ્રેસ્ટનું કેલ્યુલેશન શરૂ થઈ જાય છે. આ ઉપરાંત તમારે મંથલી 30-40 ટકા સુધીનું ઈન્ટ્રેસ્ટ અલગથી જમા કરવાનું હોય છે.