કારતક મહિનો હિંદુ ધર્મનો ખાસ માનવામાં આવે છે. એને તામસિક પ્રવૃતિનો માનવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ મહિનામાં કરવાચોથ, ધનતેરસ, દિવાળી અને કાર્તક પૂનમ ઊજવવામાં આવે છે.
કારતક મહિનો વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય છે.
આ મહિનામાં શરીરપર તેલ લગાવવું જોઇએ નહીં
આ મહિનામાં દાન, સ્નાન અને તુલસી પૂજનનું પણ વિશેષ મહત્વ હોય છે. એનાથી વ્યક્તિની તરક્કી થાય છે. પરંતું જાણતા-અજાણતા કેટલાક કામો આપણે કરવા જોઇએ નહીં, નહીં તો ધનની બરબાદીનું કારણ બની શકે છે.
કારતક માસમાં શરીર પર તેલ લગાવવું જોઇએ નહીં. એવું કહેવામાં આવે છે કે આ મહિને શરીર પર તેલ લગાવવાથી વિષ્ણુ ભગવાન નારાજ થાય છે. એવામાં માત્ર એક દિવસ એટલે કે નરક ચતુર્દશીના દિવસે તેલ લગાવી શકો છો.
આ મહિનામાં અડદ, મગ, મસૂર, ચણા, મટર, રહી ખાવાથી દૂર રહો. કારણ કે આ તમામ ચીજો ગરિષ્ઠ હોય છે. કાર્તિક મહિનામાં હળવું ભોજન કરવું જોઇએ.
કારતક મહિનામાં કોઇ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડવું જોઇએ નહીં અને ના ખોટું કામ કરવું જોઇએ, આવું કરવાથી વિષ્ણુ નારાજ થાય છે.
ઝાડ વૃક્ષમાં ભગવાનનો વાસ હોય છે. એવામાં કાર્તિક મહિનામાં ઝાડ કાપવા જોઇએ નહીં. આવું કરવાથી મનુષ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
કારતક મહિનામાં કોઇ પણ જીવજંતુને મારી નાંખવા જોઇએ નહીં, આ વાતને ના માનવા પર વ્યક્તિને અશુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે.
કારતક મહિનામાં કોઇ પણ સ્ત્રી અથવા વૃદ્ધનું અપમાન કરવું જોઇએ નહીં. આવું કરવાથી મા લક્ષ્મી તમારાથી નારાજ થઇ શકે છે.
કારતક મહિનામાં કોઇ અપંગને હેરાન કરવું જોઇએ નહીં. આવું કરવાથી પાપ લાગી શકે છે.
કાર્તિક મહિનામાં જો કોઇ ગરીબ અથવા ભિખારી તમારા ઘરે આવે છે તો એને ક્યારે ખાલી હાથ ના મોકલવા જોઇએ.
આ મહિનામાં અન્ન બરબાદ કરવું જોઇએ નહીં. આવું કરવાથી ઘરમાં અન્ન અને રૂપિયાની કમી થઇ શકે છે.