સોમવારે કોઈ વિશેષ વસ્તુઓની ખરીદી બિલકુલ પણ ના કરવી જોઈએ. સોમવારે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ અને કઈ વસ્તુઓની ના કરવી જોઈએ તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
હિંદુ ધર્મમાં સપ્તાહના તમામ દિવસ કોઈપણ દેવી અને દેવતાને સમર્પિત હોય છે. આ તમામ દિવસ માટે કેટલાક ખાસ નિયમ પણ છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભોળેનાથની પૂજા કરવી જોઈએ અને કોઈ વિશેષ વસ્તુઓની ખરીદી બિલકુલ પણ ના કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા કરવાથી તેમની સાથે માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. ભગવાન ભોળેનાથ જલ્દી પ્રસન્ન થતાં દેવતા છે. તે માત્ર જળ અને બીલીપત્રથી જ પ્રસન્ન થઇ જાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે અનાજ ના ખરીદવું જોઈએ. સોમવારે સ્ટડી સાથે જોડાયેલ કોઈપણ પુસ્તક, નોટ, પેનની ખરીદી પણ ના કરવી જોઈએ.
સોમવારના દિવસે રમત ગમતની કોઈપણ વસ્તુ, ગાડી અને ઈલેક્ટ્રોનિક ઉપકરણ ના ખરીદવા જોઈએ. આ વસ્તુઓ ખરીદવાને અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે જે પણ વસ્તુ ખરીદવામાં આવે છે, તેનું સારું પરિણામ પ્રાપ્ત થતું નથી અને તે વસ્તુ વધુ સમય સુધી ચાલી શકતી નથી.
બીજ કેટલીક વસ્તુઓની ખરીદી માટે સોમવારને શુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર સોમવારે સફેદ વસ્તુ (ઉદા. ચોખા, ખાંડ વગેરે) ઘરમાં લાવવામાં આવે તો તેના કારણે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
સોમવારે સફેદ રંગના કપડા પહેરવાથી કુંડળીમાં ચંદ્ર વધુ મજબૂત થાય છે. ઉપરાંત શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી અને ખીરનો ભોગ લગાવવાથી ભગવાન ભોળેનાથની અસીમ કૃપા વરસે છે.
કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવા માટે સોમવારને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું, સફેદ વસ્તુઓનું સેવન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.