માન્યતા છે કે શનિવારના દિવસે કેટલીક ખોટી ચીજોની ભૂલથી પણ ખરીદી કરવામાં આવે છે તો શનિદેવ તમારા પર નારાજ થાય છે અને તમારે અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે જાણી લો કઈ 7 ચીજોને શનિવારે ખરીદવાનું ટાળવું યોગ્ય રહેશે.
શનિવારે ન કરશો આ 7 કામ
શનિદેવ થી શકે છે નારાજ
શનિદેવનો પ્રકોપ કરી દેશે પાયમાલ
શનિવારે શનિદેવની પૂજા કરવાની માન્યતા છે. શનિદેવની પૂજાથી ભક્તોના સંકટ દૂર થાય છે. માનવામાં આવે છે કે નિયમોનું પાલન અને પૂજા તથા વ્રત કરવાથી શનિદેવની કૃપા બની રહે છે. શનિદેવના ક્રોધથી બચવું જરૂરી રહે છે. નહીં તો મનુષ્યને અધોગતિમાંથી કોઈ બચાવી શકતું નથી. માન્યતા છે કે આ દિવસે કોઈ ખોટી ચીજો ઘરમાં આવવાના કારણે પણ શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. શનિદેવ કોપિત થઈ શકે છે. આવી કેટલીક ચીજો છે જેને ખરીદવા અને ઘરમાં લાવવાથી તેનાથી ધનની હાનિ થઈ શકે છે. સાથે દુર્ભાગ્યનો પણ સામનો કરવો પડી શકે છે. તો જાણો કઈ 7 ચીજોને ન ખરીદવી યોગ્ય છે.
કાળો રંગ
શનિવારે કાળા કપડાં કે કાળા જૂતા ન ખરીદવા. શનિદેવ તેનાથી ક્રોધિત થાય છે. આમ કરવાથી કાર્યમાં અસફળતા મળે છે અને ભાગ્યનો સાથ મળતો નથી.
મીઠું
શનિવારે મીઠું ખરીદવાથી બચો. માન્યતા છે કે તે વ્યક્તિને દેવાદાર બનાવે છે અને રોગને વધારે છે.
કાળા તલ
શનિદેવના દિવસે કાળા તલ ખરીદવા નહીં. માન્યતા છે કે તેનાથી કાર્યોમાં બાધા આવે છે.
કાતર
શનિવારના દિવસે કાતર ખરીદવાનું ટાળવું યોગ્ય રહે છે. માન્યતા છે કે આ દિવસે કાતર ખરીદવાથી સંબંધોમાં તિરાડ અને સમસ્યાઓ જન્મે છે.
સાવરણી
આ દિવસે સાવરણીની ખરીદીથી બચવું જોઈએ. માન્યતા છે કે તેનાથી ધનનો નાશ થાય છે.
લોઢું
શનિવારના દિવસે લોઢું ખરીદવાથી બચવું જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ધનની હાનિ થઈ શકે છે.
તેલ
માન્યતા અનુસાર શનિવારના દિવસે તલના તેલનું દાન કરાય તો ઉત્તમ રહે છે. પણ આ દિવસે તેની ખરીદી અશુભ રહે છે.