દરેક ઘરમાં મહેમાન પ્રત્યે આદર અને સત્કારની ભાવના રાખવી જોઈએ. શાસ્ત્રોમાં પણ અતિથિને દેવતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.
ઘરે આવેલા મહેમાનોને ન પુછો આ વાતો
નહીં તો થશે મોટુ નુકસાન
જાણો તમારે શું વાત ન કરવી જોઈએ
હિન્દૂ ધર્મમાં ''અતિથિ દેવો ભવઃ"ની પરંપરા ખૂબ જ જુની છે. અતિથિના પ્રતિ ભગવાનના સમાન સન્માન અને આદરનો ભાવ રાખવામાં આવે છે. સાથે જ ઘરમાં આવેલા મહેમાનનું શ્રદ્ધાપૂર્વક સત્કાર કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં અતિથિ સાથે સંબંધિત ઘણી વાતો જણાવવામાં આવી છે. જે દરેક વ્યક્તિના જીવનમાં ખાસ મહત્વ ધરાવે છે. વિષ્ણુ પુરાણના અનુસાર ઘરે આવેલા મહેમાનને 3 વાતો ઈચ્છે તો પણ ન પુછવી જોઈએ.
શિક્ષા સાથે જોડાયેલા છે આ સવાલ
અમુક લોકો ઘરે આવેલા મહેમાનના જીવન વિશે દરેક વાતો જાણવા ઈચ્છે છે. અતિથિના જીવન સાથે જોડાયેલી સામાન્ય વાતો પુછવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ તેને ક્યારેય એમ ન પુછવું જોઈએ કે તેમણે કેટલો અભ્યાસ કર્યો છે. કારણ કે જો તે ઓછા ભણેલા હોય તો બની શકે કે તે આ સવાલનો જવાબ આપવામાં અસહજ મહેસુસ કરે. માટે અતિથિને ક્યારેય આવો પ્રશ્ન ન કરવો જોઈએ.
પગાર
આજના સમયમાં પગાર પર દરેક મનુષ્યનું ફોકસ હોય છે. સામાન્ય રીતે લોકો પોતાનાથી વધારે બીજા લોકોનો પગાર જાણવા માંગે છે. આ સવાલ ઘરે આવેલા મહેમાનોને ન પુછવી જોઈએ. કારણ કે બની શકે છે કે આ સવાલથી તેમને સંકોચ અનુભવાય.
જાતિ અને ધર્મ
વિષ્ણુ પુરાણ અનુસાર ઘરે આવેલા મહેમાનને ભૂલથી પણ તેમની જાતિ અથવા ધર્મ ન પુછવો જોઈએ. તેના ઉપરાંત અતિથિને તેમના ગોત્ર પણ ભૂલથી ન પુછવા જોઈએ. હકીકતે અતિથિને આ સવાલ પુછવા પર રિલેશન ખરાબ થઈ શકે છે.