માનું આ આઠમું સ્વરૂપ ગૌરવર્ણ છે. વસ્ત્ર, આભૂષણ આદિ શ્વેત છે. સૌમ્ય સ્વરૂપે વૃષભ પર બિરાજિત છે. ચાર ભુજાઓમાં માએ અભયમુદ્રા, ત્રિશૂળ, ડમરું અને વરમુદ્રા ધારણ કરેલ છે. આઠમા દિવસે આ સ્વરૂપની આરાધના કરવાથી સઘળાં સંતાપોનું શમન થાય છે. તેમની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. રંગે ખૂબ ગોરાં હોવાથી આ માતાનું નામ મહાગૌરી પડ્યું.
મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે
એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું ધારણ કરેલું છે
વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ પણ કહેવાય છે
તેમનું વાહન વૃષભ છે એટલે ’વૃષારુઢા’ પણ કહેવાયા
દેવી આ વાહન પર રહે છે બિરાજમાન
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ’વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. નવરાત્રિના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ’શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે.
જાણો દેવી વિશે
પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ "મહાગૌરી" તરીકે ઓળખાયું. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે. મા મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશાં તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશાં તેમના પાદચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.
માનાં કેટલાંક દિવ્યતાનાં સ્વરૂપ
મા દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે મહાગૌરી. પૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસના થાય છે. મહાગૌરીની શક્તિ અમોઘ અને સદાય ફળ દેવાવાળી છે. તેમની ઉપાસનાથી ભક્તોનાં પાપો દૂર થાય છે. ભક્ત બધા જ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બને છે. મહાગૌરીનો વર્ણ પૂર્ણતઃ ગૌર છે. આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને કુંદના ફુલ સાથે કરવામાં આવે છે. મહાગૌરીનાં વસ્ત્ર અને આભૂષણ પણ શ્વેત છે. મહાગૌરીની ચાર ભુજાઓ છે. મહાગૌરીનું વાહન વૃષભ છે. મહાગૌરીના ઉપર તરફના ડાબા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશૂળ છે. મહાગૌરીના ઉપરના જમણા હાથમાં ડમરું અને નીચેનો હાથ વરદાન મુદ્રામાં છે. તેમની મુખ મુદ્રા અત્યંત શાંત છે. મહાગૌરીએ શિવને પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી હતી. કઠોર તપશ્ચર્યાને કારણે મહાગૌરીનું શરીર કાળું પડી ગયું હતું. મા મહાગૌરીનું ધ્યાન, સ્મરણ, પૂજન, આરાધન ભક્તો માટે કલ્યાણકારી છે. મહાગૌરીની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મહાગૌરી ભક્તોનાં કષ્ટ ચોક્કસ દૂર કરે છે. મહાગૌરીની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કામ પણ થઈ જાય છે.
આજે આ વાતોનું રાખી લો ઘ્યાન
સંધ્યાકાળનો સમય પૂજા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે
108 દીવા પ્રગટાવીને કરવામાં આવે છે પૂજા
આ દિવસે દિવસે સૂવું નિષેધ માનવામાં આવે છે
પાઠ કરતી સમયે અન્ય સાથે વાત કરવાથી પૂજા થાય છે ખંડિત
ઘરમાં અખંડ જ્યોત રાખો તો ઘરને એકલું ન રાખો.
આ દિવસે શક્ય હોય તો વ્રત રાખો નહીં તો એક જગ્યાએ બેસીને ફળાહાર કરો.
આ દિવસે નખ કાપવા નિષેધ ગણવામાં આવ્યા છે.