આજે મનુષ્ય માત્ર પૈસા પાછળ પાગલની જેમ દોડે છે. પૈસો તેનાથી દૂર દૂર ભાગે છે ત્યારે મા મહાલક્ષ્મીનું સરળ પૂજન તથા અપાર સંપત્તિ મેળવવા નીચેની વિધિ કરવાથી મનુષ્યને તેની સંપત્તિ ભૂખ દૂર થતી જણાય છે. જો યોગ્ય રીતે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો અપાર લાભ થઈ શકે છે. યોગ્ય પૂજા વિધિ અને શ્રી યંત્ર સાથે માતા લક્ષ્મીની પૂજા લાભદાયી રહે છે.
લક્ષ્મી શુક્ર ગ્રહનાં કિરણો પ્રત્યે આકર્ષિત થાય છે
શ્રી યંત્ર વગર માતા લક્ષ્મીની પૂજા અધૂરી રહે છે
આ રીતે કરો લક્ષ્મીજીની પૂજા થશે પ્રસન્ન
પૂજન વિધિ
બાજોટ પર લાલ વસ્ત્ર પથારીને તેના પર પાણીથી ભરેલ કળશને પાનના પત્તાથી સજાવીને મંદિરમાં મૂકો અને તેના પર શ્રીફળ મૂકો.
કળશની બાજુમાં હળદરથી કમળ બનાવો અને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિનું સ્થાપન કરો. બજારમાંથી માટીના હાથી લાવવાનું ભૂલતા નહીં. સાથો સાથ તેને સોનાના ઘરેણાંથી પણ સજાવો. જો તમે હાથી પર નવું સોનું ખરીદીને રાખી શકો તો તેનો ખાસ લાભ મળે છે. શ્રીયંત્ર વગર માતા લક્ષ્મીની પૂજા અધૂરી રહે છે. માતા લક્ષ્મીની મૂર્તિ સામે શ્રીયંત્રને રાખી કમળનાં ફૂલથી તેની પણ પૂજા કરો. ફળ અને મીઠાઇ અર્પણ કરવાની સાથો સાથ સોના ચાંદી પણ ચઢાવો અને ત્યારબાદ માતા લક્ષ્મીનાં આઠ રૂપની મંત્રોની સાથે કુમકુમ, ચોખા, અને ફૂલ ચઢાવતાં પૂજા કરો.
આ રીતે કરો લક્ષ્મીજીની પૂજા થશે પ્રસન્ન
લક્ષ્મી શુક્ર ગ્રહનાં કિરણો પ્રત્યે આકર્ષિત થાય છે. ચાદર વગેરે શ્વેત હોવી જોઈએ. શુભ્રતાનું વિશેષ મહત્ત્વ છે. ઘણા લોકો ભૂલથી ખોટી મુદ્રાવાળાં ચિત્રો સ્થાપિત કરી દે છે.
લક્ષ્મીજીનો જમણો હાથ અભય મુદ્રાવાળો હોવો જોઈએ, જેમાંથી લક્ષ્મીજી સિક્કાઓની વર્ષા કરતા દેખાવાં જોઈએ. લક્ષ્મીજીના સ્થાયીકરણ માટે તેઆની કમળના પુષ્પ પર બિરાજમાન મુદ્રા અતિ આવશ્યક છે. પૂજન સ્થાનના પાટલા પર ઘઉં, ચોખા હોવા જોઈએ. તેની પર અખંડ દીવાની સ્થાપના કરવી જોઈએ. જો તમારા પૂજન માટે ચાંદીના લક્ષ્મીજી કે ગણેશજી છે તો સૌથી પહેલાં પંચામૃતથી તેમને સ્નાન કરાવવું જોઈએ. તે પછી ગંગાજળથી તે મુર્તિઓને સ્નાન કરાવવું જોઈએ. પૂજન સમયે પતિ-પત્નીએ નવાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ.
પૂજામાં આ પ્રકારે પહેરો વસ્ત્ર
શક્ય હોય તો પતિએ શ્વેત અને પીળાં વસ્ત્રો અને પત્નીએ લાલ, ગુલાબી અને પીળાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. સુવર્ણ અને રજતનાં આભૂષણો ધારણ કરીને પ્રસન્નચિત્તે પોતાના પરિવાર, મિત્રો, ભાઈ-બહેનો તથા ગુરુજનો, વિશિષ્ઠજનો તથા વિદ્વાન બ્રાહ્મણના સાંનિધ્યમાં શુભ મુહૂર્તમાં નવું આસન લગાવીને પોતાનાં મન, વાણી એવં શુદ્ધ ચિત્તથી સંકલ્પપૂર્વક ઇષ્ટદેવતા, ગ્રામ્યદેવતા, કુળદેવતા વગેરેનું આહ્વાન કરી મહાલક્ષ્મીની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. એ જ રીતે આઠ ભુજાઓવાળા સ્વસ્તિકના ચિત્રને અંકિત કરવું જોઈએ. આ સ્વસ્તિકનું ચિહ્ન સમગ્ર દોષોને દૂર કરી રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરે છે.
પૂજન પછી શ્રીસૂક્ત પાઠ કરવો
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભવન અથવા વેપાર ધંધાના સ્થળે પૂર્વ ઇશાન ખૂણામાં પશ્ચિમ તરફ મોં રહે તે રીતે ગણેશજી અને લક્ષ્મીજીનાં પૂજનની વ્યવસ્થા કરવી જોઈએ. પૂજન વખતે લક્ષ્મીજી અને ગણેશજીને વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. તે પછી શક્તિ પ્રમાણે તેમનો શૃંગાર કરવો જોઈએ. ધનપ્રાપ્તિ માટે જમણા હાથની મધ્યમા આંગળીથી, માનસિક શાંતિ માટે અનામિકા આંગળીથી તિલક કરવું જોઈએ. અત્તર, ફૂલ કમળનું અને ગુલાબનું અર્પણ કરવું જોઈએ. પૂજન ભક્તિભાવથી કરવું જોઈએ. થાળીમાં સૌથી વધુ દીપ જલાવવા જોઈએ. સાકર, પતાસાં, ફળ, મેવો તથા મિષ્ઠાનનો ભોગ ધરાવવો જોઈએ. નદી, સરોવર તથા નિર્જન સ્થળો પર દીપદાન કરવું જોઈએ. દીપદાન તે પૂર્વજોનો માર્ગ સુલભ કરવા માટે તેમને રોશની પ્રદાન કરે છે. ઘર અને વેપાર ધંધાના સ્થળે તાંબાનું પ્રાણ પ્રતિષ્ઠિત શ્રીયંત્ર પશ્ચિમ તરફ મોં રહે તે રીતે બિરાજમાન કરવું જોઈએ. પૂજન પછી શ્રીસૂક્ત પાઠ કરવો જોઈએ. શક્ય હોય તો દક્ષિણાવર્તી શંખ, ગોમતીચક્ર, મોરપંખ પણ પૂજનમાં મૂકવાં જોઈએ.
આ રીતે થાય છે લક્ષ્મીજી પ્રસન્ન
દીપાવલિના દિવસોમાં બિલાડી, ગરોળી કે ઘુવડનું દર્શન શુભ મનાય છે. જેમની પાસે આ બધું કરવાનું સામર્થ્ય નથી તેઓ મહાલક્ષ્મીને મનમાં સ્થાપીને એક દીપ પ્રગટ કરી, અંતઃકરણપૂર્વક, ભાવપૂર્વક તેમની આરાધના કરે તો પણ લક્ષ્મીજી પ્રસન્ન રહેતાં હોય છે. યાદ રહે કે આ વિધિ સાત્ત્વિક લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે છે. ચોરી, છેતરપિંડી કે ભ્રષ્ટાચાર જેવાં કૃત્યોથી પ્રાપ્ત કરવા માટે નથી.