શું ખરેખર ભૂત હોય છે? આજે અમે તમને જણાવશું કે આ અંગે ધર્મની માન્યતા શું છે અને વિજ્ઞાનની માન્યતા શું છે?
ભૂતનું અસ્તિત્વ છે કે નહીં તે વિશે ઘણા લોકોમાં હંમેશા બે મત હોય છે
આ અંગે ધર્મની અને વિજ્ઞાનની માન્યતા શું છે?
શું ખરેખર ભૂત હોય છે?
નાનપણમાં આપણ લગભગ દરેક લોકોએ દાદા-દાદી પાસેથી ભૂત-પ્રેતની વાર્તાઓ સાંભળી હશે. એ વાર્તા સાંભળીને ઘણા લોકો વાર્તાઓમાં વિશ્વાસ કરતા જોવા મળે છે અને ઘણા લોકોએ એમ વિચારે છે કે કે ભૂતનું અસ્તિત્વ છે તો ઘણા લોકો એમ માને છે કે ભૂત જેવું કશું નથી હોતું. જો કે અનેક ફિલ્મો અને સિરિયલોમાં પણ ભૂતનો ઉલ્લેખ જોવા મળે છે. આવી સ્થિતિમાં મોટા ભાગના લોકોમાં માન્યતા થોડી વધુ વધી જાય છે પણ ભૂતનું અસ્તિત્વ છે કે નહીં તે વિશે ઘણા લોકોમાં હંમેશા બે મત હોય છે.
જો કે આ દિવસોમાં તેની ચર્ચા પણ જોરશોરમાં છે કારણ કે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે તેમના પર કેમેરા પર સામે ભૂત ભગાડવાનો દેખાડો કરવાનો અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ સ્થિતિમા ઘણા લોકોના મનમાં આ સવાલ ચાલતો જ હશે કે શું ખરેખર ભૂત હોય છે?આજે અમે તમને જણાવશું કે આ અંગે ધર્મની માન્યતા શું છે અને વિજ્ઞાનની માન્યતા શું છે?
શું ખરેખર ભૂત હોય છે?
ભૂતનું અસ્તિત્વ છે કે નહીં તે અંગે દરેક લોકોના વિવિધ મંતવ્યો છે. ઘણા લોકો માને છે કે ભૂત અસ્તિત્વ ધરાવે છે તો ઘણા લોકો તેમના પર બિલકુલ વિશ્વાસ કરતા નથી. એ લોકોના મતે ભૂત ફક્ત મનની કલ્પના છે. આવી સ્થિતિમાં ભૂત ખરેખર છે કે નહીં તેનો કોઈ સ્પષ્ટ જવાબ હજુ સુધી મળ્યો નથી.
ધર્મના હિસાબે શું છે માન્યતા?
જો આપણે ધર્મની વાત કરીએ તો ઘણી ધાર્મિક માન્યતાઓમાં ભૂત જેવી શક્તિઓનું અસ્તિત્વ છે એવું સ્વીકારવામાં આવ્યું છે. દુનિયામાં અલગ અલગ સંસ્કૃતિઓમાં, લોકો આત્માઓ અને મૃત્યુ પછી બીજી દુનિયામાં રહેતા લોકોમાં માને છે અને ઘણા લોકો તેની પૂજા પણ કરે છે. ઉદાહરણ તરીકે ધાર્મિક માન્યતા અનુસાર ઘણી જગ્યાએ સ્મશાનમાં જવાની એનએ ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓને ત્યાં જવાની મનાઈ કરવામાં આવે છે કારણ કે તે લોકો પર ભૂત-પ્રેત હવાઈ થઈ શકે છે.
આ સિવાય ઘણી જગ્યાએ કોઈ વ્યક્તિને ભૂતનું વળગાળ જેવી વાતો પણ સામે આવે છે અને તેને દૂર કરવા માટે ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આત્મા અમર છે. વ્યક્તિના મૃત્યુ પછી આત્મા નાશ નથી પામતી અને ઘણી અસંતુષ્ટ આત્માઓને ભૂત તરીકે કલ્પવામાં આવે છે.
વિજ્ઞાન શું માને છે?
ભૂત પર વૈજ્ઞાનિક આધાર પર સંશોધન કરવું થોડું મુશ્કેલ બની જાય છે કારણ કે તેમાં ઘણી વિચિત્ર અને અણધારી ઘટનાઓ બનતી રહે છે, જેમ કે મૃત વ્યક્તિનો દેખાવ, પડછાયો, દરવાજા આપમેળે ખૂલવો વગેરેનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે વર્ષ 2016 માં સમાજશાસ્ત્રીઓ ડેનિસ અને મિશેલ વાસ્કુલે 'Ghostly Encounters: The Hauntings of Everyday Life' નામના ભૂત પર એક પુસ્તક લખ્યું હતું અને એ બુકમાં ઘણા લોકો દ્વારા ભૂતના અનુભવ પર વાર્તાઓ લખવામાં આવી હતી. એ સાથે જ આ પુસ્તક દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઘણા લોકોને ખાતરી નથી કે તેઓએ ખરેખર કોઈ ભૂત જોયું હતું કે શું હતું..
ભૂતોમાં વિશ્વાસ કરવો એ વિશ્વમાં સૌથી વધુ માનવામાં આવતી પેરાનોર્મલ એક્ટિવિટીમાંથી એક છે. વિજ્ઞાનનું માનીએ તો જ્યારે ભૂતને લઈને વિચાર કરવામાં આવે છે તો સૌથી પહેલી એ વાત સામે આવે છે કે તે વસ્તુ છે કે નહીં? શું તેઓ કોઈપણ દરવાજાને ખોલી અને બંધ કરી શકે છે? શું ભૂત વસ્તુઓ વગેરે ફેંકી શકે છે? ભૂત-પ્રેત સાથે જોડાયેલી આ બાબતોને લઈને ઘણા વિવાદો છે. આવી સ્થિતિમાં હજુ સુધી વિજ્ઞાનમાં ભૂતના અસ્તિત્વનો કોઈ સ્પષ્ટ જવાબ નથી.