'दो गज दूरी, बहुत है जरूरी', કોરોના વાયરસ વિરુદ્ઘ લડાઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ મંત્ર છે, આ મંત્ર તેઓ ઓછામાં ઓછું ત્રણ વખત દેશવાસીઓને જણાવી ચૂક્યા છે. સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પણ પીએમ મોદીએ આ મંત્ર ફરી વખત કહ્યો. આપણો મુખ્ય હેતુ, ઝડપથી રેસ્પૉન્સ આપવા પર હોવો જોઇએ અને બે ગજથી દૂરીના મંત્રને ફૉલો કરવાની જરૂર છે. એક દિવસ પહેલા, મન કી બાતમાં પણ આ મંત્રનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
કોરોના વાયરસની સામેની જંગમાં પીએમ મોદી આપી રહ્યા છે બે ગજની દૂરીનો મંત્ર
મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પણ મોદીએ કહ્યુ કે, બે ગજની દૂરીના મંત્રને ફૉલો કરવાની છે જરૂર
મીટિંગમાં કહ્યુ કે, લૉકડાઉનને કારણે બચી હજારોની જિંદગી
માસ્ક અને ફેસ કવર્સ થઇ જશે જિંદગીનો ભાગ, પીએમ બોલ્યા, કોરોનાની સામે લડાઇ અને ઇકૉનોમી બંને જરૂરી
ગજ લંબાઇ માપવાનો ભારતીય એકમ છે. મુગલકાળમાં ગજને પ્રયોગ શરૂ થયો. 17મી સદી આવતા આવતા ભારતના ઘણા ભાગમાં તેનાથી ભૂમિના ટુકડા પણ માપવા લાગવામાં આવ્યા. જોકે તેનું કોઇ માનક નથી. અલગ-અલગ રાજ્યોમાં માપ અલગ હોય છે. 20મી સદીમાં અંગ્રેજી સિસ્ટમના હિસાબથી એક ગજ એટલે એક યાર્ડ બરાબર કરી દીધુ. હવે ગજને અંગ્રેજીમાં YARD કહેવામાં આવે છે. પરંતુ 2 ગજનો મતલબ વાસ્તવામાં શું થાય છે તે જાણીએ..
ગત 4 દિવસમાં પીએમ મોદી 3 વખત આ મંત્ર કહી ચૂક્યા છે. શુક્રવારે ગ્રામ પંચાયતના પ્રમુખ સાથેની મીટિંગ પણ તેમણે કહ્યુ કે, સોશ્યલ ડિસ્ટેન્સિંગ માટે ગામમાં બે ગજની દૂરીનો મંત્ર કામ આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે, ગ્રામીણ ભારતમાં આ નારાથી લોકોની બુદ્ઘિમતાની ક્ષમતા જાણી શકાય છે. રવિવારે મન કી બાતમાં પણ પીએમ મોદીએ કહ્યુ કે, રસ્તાઓ, રહેણાંક વિસ્તાર, બજારો તથા ફિજિકલ ડિસ્ટેન્સિંગ મેનટેન કરવું જરૂરી છે. હું તે નેતાઓ પ્રતિ આભાર વ્યક્ત કરું છુ જેમણે બે ગજની દૂરી મેન્ટેન કરવામાં લોકોને જાગરૂક્ત કરી રહ્યા છે.
આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની મીટિંગમાં કહ્યુ કે, આ બેઠકમાં કહેવામાં આવ્યુ કે, જ્યાં કોરોના સંકટની અસર વધુ ગંભીર છે ત્યાં લૉકડાઉન લંબાવવામાં આવશે. જે રાજ્યોમાં સ્થિતિ કાબૂમાં છે ત્યાં જિલ્લાવાર છૂટ આપવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રીએ આર્થિક સ્થિત વિશે ચિંતા ન કરવા માટે મુખ્યમંત્રીઓને આશ્વાસ્ત કર્યા હતા અને અર્થતંત્રની ચિંતા કર્યા વગર મહામારીને અનુલક્ષીને નિર્ણયો લેવા કહ્યું હતું.