માના આરાધનાનું પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રિના અવસરે છઠ્ઠા દિવસે કાત્યાયની માની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. માને પ્રસન્ન કરવા ભક્તો મંત્ર જાપ, પૂજા અર્ચન કરે છે. શાસ્ત્રો અનુસાર કાત્યાયન ઋષિના તરથી પ્રસન્ન થઈ આદિ શક્તિમાં ઋષિના ઘરે તેમનાં પુત્રીના રૂપે અવતર્યા હતા. કાત્યાયન ઋષિના પુત્રી હોવાના કારણે માતા કાત્યાયની કહેવાયા. માન્યતા છે કે માતાની સાચી રીતે પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
છઠ્ઠા નોરતે કરી લો માતા કાત્યાયનીની પૂજા
મા કાત્યાયનીના ભોજનમાં અચૂક ધરાવો મધનું પાન
માતાને પ્રસન્ન કરવા કરી લો આ મંત્રનો જાપ
આ માન્યતા છે સંકળાયેલી
કાત્યાયની માતાની પૂજા અર્ચના કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. એક માન્યાતા છે કે કાત્યાયનીમાતાનું વ્રત કરવાથી તેમજ તેમની પૂજા કરવાથી કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે અને તેના વિવાહ થઈ જાય છે. તેમજ જે યુવતીના વિવાહમાં બાધા આવતી હોય તેના વિવાહ કોઇ પણ વિઘ્ન વિના સંપન્ન થાય છે.
માં કાત્યાયનીને પસંદ છે મધ, ધરાવો ભોગમાં આ ચીજ ખાસ
માં કાત્યાયનીએ દેવતાઓની પ્રાર્થના સાંભળીને મહિષાસુર સાથે યુદ્ધ કર્યુ હતું. મહિસાસુર સાથે યુદ્ધ કરતા માતા જ્યારે થાક્યા ત્યારે તેમને મધનું પાન ખવડાવવામાં આવ્યુ હતુ. આ પાન ખાવાથી માતાનો થાક ઉતરી ગયો હતો. માતાએ મહિષાસુરનો વધ કર્યો હતો. ત્યારથી મધ તેમનું પ્રિય માનવામાં આવે છે. માતાની સાધના કરવાથી ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે. કાત્યાયનીની સાધના કરવા માટે તેમજ માને પ્રસન્ન કરવા માટે મધવાળું પાન અર્પણ કરવું જોઇએ.
જાણો માતાની પૂજાનો સાચો સમય
માં કાત્યાયનીની સાધનાનો સમય ગોધુલીકાળ છે. માન્યતા છે કે આ સમયે ધૂપ, દીપ, ગુગળથી માની પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે. માંને પ્રસન્ન કરવા પાંચ પ્રકારની મીઠાઈઓ ધરાવવાથી માતા પ્રસન્ન થાય છે. ભક્તોને મહેનત તેની યાગ્યતા અનુસાર ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. માં દુર્ગાના નવદુર્ગા સ્વરૂપોમાં કાત્યાયનીમાતાને છઠ્ઠુ સ્વરૂપ માનવામાં આવે છે.
માતાને પ્રસન્ન કરવા કરો આ મંત્રનો જાપ
|| ॐ હ્રીં ક્લીં કાત્યાયને નમ: ||
માં કાત્યાયનીના મંત્ર જાપની વિધિ
પૂર્વ દિશામાં મોઢું રાખીને માં કાત્યાયની દેવીના ફોટાની સ્થાપના કરવી. માંની સામે એક ઘીનો દિવડો પ્રગટાવી ધૂપ કરો. એક લોટામાં જળભરીને રાખો. સામે એક આસન પાથરી બેસો. ડાબા હાથમાં જળ રાખી સંકલ્પ કરો, સંકલ્પ એ રીતે કરો કે હે પરમેશ્વર હું (પોતાનું નામ લો) ગોત્રનો ઉચ્ચાર કરો, માંને મનગમતું વરદાન આપવા વિનંતી કરો અને મંત્ર જાપ કરો. જળને જમીન પર છાંટો અને બે વાર ॐ શ્રી વૈષ્ણવે નમ:નો મંત્રજાપ કરો. સંકલ્પ કર્યા પછી એક માળા ગુરૂજીની કરો ત્યારબાદ એક માળા ॐ શ્રી ગણેશાય નમ:ની માળા કરો. હવે પછી માં કાત્યાયની દેવીનો મંત્ર કરો. આ મંત્રનો જેટલો કરી શકો તેટલો પાઠ કરો. સંકલ્પ કરતા રહો. દેવી તમને અવશ્ય સારું ફળ આપશે અને તમારી બાધાઓને પણ હરશે.