નવરાત્રિના નવ દિવસમાં આજે ત્રીજું નોરતું છે. આ દિવસે નવદુર્ગા માતાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દેવીની વિશેષતા છે કે તેમના માથા પર ઘંટ આકારનો ચંદ્રમા છે. તેમના 10 હાથ છે અને તેમાં અસ્ત્ર શસ્ત્ર છે. તેમની મુદ્રા પણ યુદ્ધની છે.
ત્રીજા નોરતે કરો મા ચંદ્રઘંટાની પૂજા
દેવીના માથા પર ઘંટ આકારનો ચંદ્રમા છે
10 હાથ છે અને તેમાં અસ્ત્ર શસ્ત્ર છે
દેવીની પૂજાથી શરીરનું મણિપુર ચક્ર મજબૂત બને છે
મા ચંદ્રઘંટા તંત્ર સાધનામાં મણિપુર ચક્રને નિયંત્રિત કરે છે. જ્યોતિષમાં તેમનો સંબંધ મંગળ નામના ગ્રહ સાથે જોવા મળે છે. આ સમયે માતાના ત્રીજા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.
જાણી લો માતાની પૂજા વિધિની રીત
મા ચંદ્રઘંટાની પૂજા લાલ વસ્ત્ર ધારણ કરીને કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ફળ મળે છે. માને લાલ ફૂલ, લાલ ચંદન અને લાલ ચુંદડી ઓઢાડવામાં આવે છે. માતાના આ રૂપની પૂજા કરવાથી મણિપુર ચક્ર મજબૂત બને છે. સાથે જ આ દિવસની પૂજાથી તમારા તમામ ભયનો નાશ થાય છે. આ દિવસની પૂજાથી અદભૂત સિદ્ધિઓનો અનુભવ થાય છે. તેની પર ધ્યાન ન આપીને સાધના કરતા રહેવાથી અનેક ગણું ફળ મળે છે.
મંત્રનો જાપ કરતી સમયે રુદ્રાક્ષની માળા કે લાલ ચંદનની માળાનો ઉપયોગ કરવાથી લાભ મળે છે.
માતાજીને આજે ચઢાવો આ ભોગ
દેવીના અલગ અલગ સ્વરૂપનું મહત્વ અલગ અલગ છે. સાથે જ તેમના ભોગના પ્રકાર પણ અલગ છે. આજના દિવસે દેવી ચંદ્રઘંટાને દૂધ કે દૂધની વાનગીનો ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસાદ પોતે પણ લેવો અને અન્ય લોકોને પણ વહેંચો. દેવીને આ ભોગ ચઢાવવાથી જીવનના અનેક દુઃખનો અંત ઝડપથી આવે છે.