આપણે આપણા ઘરને સજાવવા માટે મોંઘા ફર્નિચર ખરીદીએ છીએ પણ જો આ ફર્નિચરમાં કોઇ કારણોસર ઊધઇ લાગી જાય તો લાખોનું નુકસાન થાય છે. આવામાં તેનાથી બચવું પણ મુશ્કેલ છે. તો આજે અમે તમને ફર્નિચરની કેવી રીતે કેર કરશો એના માટે જણાવી રહ્યા છીએ.
જો તમારા ઘરમાં તમને ફર્નિચરને ઊધઇ લાદવાનો ડર હોય તો હવે પરેશાન થવાની કોઇ જરૂર નથી. અમે તમને કેટલાક ઘરેલૂ નુસ્ખા જણાવી રહ્યા છીએ જેને તમે તમારા ફર્નીચરને બરબાદ થવાથી બચાવી શકો છો.
ઊધઈને નષ્ટ કરવા માટે લીમડાનુ તેલ પણ એક સહેલો ઉપાય છે. આ વાત જુદી છે કે તે થોડુ ધીમે કામ કરે છે પણ સતત પ્રયોગ કરવાથી આ ઘટી જાય છે.
સફેદ સોડાને ઊધઈ લાગેલ ફર્નીચર પર છાંટવાથી પણ ઊધઈ નષ્ટ થઈ જાય છે.
મીઠુ પણ એક અસરદાર નુસ્ખો છે. મીઠાને પાણીમાં મિક્સ કરીને છાંટવાથી પણ ઊધઈ નાશ પામે છે.
સાબુના પાણીથી પણ ઊધઈ મરી જાય છે. 4 કપ પાણીમાં ડિશ શોપ મિક્સ કરો અને આ મિશ્રણને રોજ ફર્નીચર પર છાંટો એક અઠવાડિયામાં ફાયદો જોવા મળશે.
જો તમારા ફર્નિચરને ઊધઈ લાગી છે તો બોરેક્સ કે સોડિયમ બોરેટને ઊધઈ લાગેલ સ્થાન પર લગાવો. તેનાથી તે તરત ખતમ થઈ જશે.
ઘરના ફર્નીચરમાં ઊધઈ લાગી જાય તો તેને ત્રણથી ચાર દિવસ માટે તડકો બતાવી દો કારણ કે તડકો ઊધઈનો સૌથી મોટો દુશ્મન છે.
ઊધઈ લાગેલ ફર્નીચરની પાસે કોઈ ભીની લાકડીને મુકી દો તો તેને ચાર દિવસ તાપ બતાવી દો કારણ કે તાપ ઊધઈની સૌથી મોટી દુશ્મન છે જે ઊધઈને જડથી નાશ કરે છે.