આજે વસંત પંચમીએ 2 શુભ સંયોગ બની રહ્યા છે ત્યારે આ 6માંથી 1 ઉપાય પણ કરી લેશો તો દેવી સરસ્વતી થશે પ્રસન્ન.
આજે વસંત પંચમીનો તહેવાર
દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા કરો 6માંથી 1 ઉપાય
આજે બની રહ્યા છે 2 શુભ સંયોગ પણ
દેશભરમાં આજે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા ભક્તો અનેક કામ કરી રહ્યા છે. આ સાથે જ આજે 2 શુભ સંયોગ પણ બની રહ્યા છે. જેમા રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો ખાસ સંયોગ બની રહ્યો છે. આખો દિવસ રવિ યોગ રહેવાના કારણે વસંત પંચમીનું મહત્વ વધી ગયું છે. સવારે 06.59 મિનિટથી બપોરે 12.35 મિનિટ સુધી પૂજાનું શુભ મૂહૂર્ત રહેશે.
જાણો શુભ મૂહ્રર્તમાં કયા કામ કરી લેવાથી દેવી સરસ્વતી તમારા પર પ્રસન્ન રહે છે અને તમને અપાર લાભ મળી શકે છે.
આજે દેવી સરસ્વતીને પીળા રંગના ભોજનનો ભોગ ધરાવવાની પરંપરા છે. તો શક્ય હોય તો કેસરની ખીરનો ભોગ ધરાવો. પહેલો ભોગ દેવી સરસ્વતીને ચઢાવો અને પછી કન્યાઓને પીરસો. તેનાથી દેવી તમારા પર પ્રસન્ન થશે.
આજના દિવસે સ્નાન કરીને તુલસીની માળાની મદદથી 108 વખત ઓમ હીં એં હ્રીં સરસ્વતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી પણ શુભફળ મળે છે.
આજના દિવસે પીળા રંગના કપડાનું ગરીબોમાં દાન કરો. આ સિવાય કન્યાઓને પીળી વસ્તુની ભેટ આપો. આમ કરવાથી પણ દેવી સરસ્વતી તમારા પર પ્રસન્ન રહેશે.
વસંત પંચમીએ પીળા ફૂલની માળા દેવીને અર્પણ કરો. આ સિવાય ગળ્યા પીળા ભાતનો ભોગ પણ ચઢાવી શકો છો. આજે પીળા રંગનું ખાસ મહત્વ છે.
જો તમે કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છો છો તો આજના શુભ દિવસે શુભ મૂહૂર્તમાં દેવી સરસ્વતીને સફેદ વસ્ત્ર અર્પણ કરો અને મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરો. આજે દેવી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. શક્ય છે તમારી મનોકામના પણ આ રીતે પૂરી થઈ જાય.
જે પરિવાર બાળકોને ભણાવવા સક્ષમ નથી તેમને અભ્યાસ માટેની સામગ્રી જેમકે પુસ્તકો, કોપી, પેનનું દાન કરો. તેનાથી પણ દેવી સરસ્વતી પ્રસન્ન થઈ જાય છે અને તમારા પર તેમની કૃપા વરસાવી શકે છે.
તો આજે જ ફટાફટ પૂજા સાથે આ વાતનું ધ્યાન રાખો અને દેવી સરસ્વતીને પ્રસન્ન કરી લો. તમને તેમની કૃપા અચૂક મળશે.