કોરોના વાયરસને કારણે બુધવારે દ્રવિડ મુનેત્ર કડગમ(DMK)ના ધારાસભ્ય જે.અન્બાઝગનનું નિધન થયું છે. તેઓ ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને ગયા અઠવાડિયે જ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. અન્બાઝગન પશ્ચિમ જિલ્લામાં ડીએમકેના સેક્રેટરી પણ હતા. નોંધનીય છે કે, કોરોનાને કારણે કોઇ ધારાસભ્યનું નિધન થયું હોય તેવી પ્રથમ ઘટના છે.
દેશમાં કોરોના વાયરસ બન્યો બેકાબૂ
ડીએમકેના એક ધારાસભ્યનું સારવાર દરમિયાન મોત
ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં હતા દાખલ
ગયા અઠવાડિયે મંગળવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને શરદી-તાવની ફરિયાદ કરી હતી. ત્યારબાદ, તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ચેન્નાઇના ડૉ.રેલા ઇન્સ્ટિટ્યૂટ અને મેડિકલ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, 61 વર્ષના ધારાસભ્યને પણ કિડનીનીની પણ બીમારી હતી. તેનું સુગર લેવલ પણ ઊંચું હતું.
કોરોનાને કારણે થયું મોત
બુધવારે હોસ્પિટલે એક નિવેદન જાહેર કર્યું હતું કે, 'અન્બાઝગન કોરોના વાયરસ અને ન્યુમોનિયાથી તેમના જીવનની લડત લડી રહ્યા હતા અને આજે સવારે(બુધવારે) તેમની હાલત કથળી હતી. અમારી કોવિડ સુવિધામાં યાંત્રિક વેન્ટિલેશન સહિત સંપૂર્ણ તબીબી સહાયતા હોવા છતાં, બીમારીના કારણે તેમનું અવસાન થયું. '
Tamil Nadu: DMK MLA J Anbazhagan who was suffering from COVID19 passes away at a private hospital in Chennai pic.twitter.com/g0LQMNw0v3
આપને જણાવી દઇએ કે, શુક્રવારે ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિન અને રાજ્યના આરોગ્ય પ્રધાન સી વિજયભાસ્કર અન્બાઝગનને મળવા ગયા હતા. તેઓ ચેપક-ટ્રિપ્લિકન વિધાનસભા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. લોકડાઉન સમયગાળા દરમિયાન તેમણે રાહત કામગીરીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. 15 વર્ષ પહેલાં લીવર ટ્રાન્સપ્લાન્ટને કારણે તેની તબિયત લથડતી હતી.
પારંપરિક રીતે ડીએમકે પરિવાર સાથે સંકળાયેલા હતા
અન્બાઝગન પરંપરાગત ડીએમકે પરિવાર સાથે જોડાયેલા હતા. તેમના પિતા જયરામન પણ ડીએમકેના સક્રિય કાર્યકર હતા. થોડા દિવસો પહેલા, સ્ટાલિનને જણાવ્યું હતું કે, તેમણે કટોકટી દરમિયાન વિરોધમાં કેવી રીતે ભાગ લીધો હતો અને આંતરિક સુરક્ષા કાયદા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે અન્બાઝગનને તેમના પિતા કરતા પાર્ટી માટે વધુ કામ કર્યું હતું.