દેહાવસાન / દેશમાં સૌપ્રથમ વખત કોઈ ધારાસભ્યનું કોરોનાથી મોત, પાર્ટીમાં શોકની લાગણી

DMK MLA J Anbazhagan Passes Away

કોરોના વાયરસને કારણે બુધવારે દ્રવિડ મુનેત્ર કડગમ(DMK)ના ધારાસભ્ય જે.અન્બાઝગનનું નિધન થયું છે. તેઓ ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને ગયા અઠવાડિયે જ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. અન્બાઝગન પશ્ચિમ જિલ્લામાં ડીએમકેના સેક્રેટરી પણ હતા. નોંધનીય છે કે, કોરોનાને કારણે કોઇ ધારાસભ્યનું નિધન થયું હોય તેવી પ્રથમ ઘટના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ