દિવાળી પર કરવામાં આવેલા ઉપાયો જીવનમાં ધનની કમીને દૂર કરે છે. માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
દિવાળીના દિવસે ક્યારેય ન કરો આ કામ
સારા કાર્યથી દિવાળીની કરો શરૂઆત
લક્ષ્મીજી રૂઠશે તો થશે ધનહાનિ
દિવાળી પર ન કરો આ કામ
દિવાળીના દિવસે કેટલાક કામ ન કરવાં જ યોગ્ય ગણાય છે. આ દિવસે કોઇની પણ બૂરાઇ કરવાથી બચો. આ દિવસે કોઇ પણ પ્રકારનું ખરાબ કામ કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે. કેટલાક લોકો આ દિવસે નશા અને જુગાર જેવા કાર્યો કરે છે. ભૂલથી પણ આ પ્રકારના કાર્યો ન કરવા જોઇએ. આ કાર્યો રાહુના પ્રભાવમાં વૃદ્ધિ કરે છે. રાહુ ખોટા કામ, નશા અને તણાવ તેમજ ક્લેશનો ગુરુ છે. રાહુના પ્રભાવમાં વૃદ્ધિ ન થવા દો. ધન હાનિના મામલે પણ રાહુ જ કારણભૂત હોય છે.
દિવાળી પર રાખો આ વાતોનું ધ્યાન
દિવાળી પર સારા કાર્યો કરવા જોઇએ. સવારે વેલા ઉઠીને સૌથી પહેલા ભૂમિને સ્પર્શ કરવો જોઇએ. લક્ષ્મીજીનું સ્મરણ કરીને પિતૃઓને યાદ કરવા જોઇએ. દિવાળી પર કોઇ શુભ કાર્યથી દિવસની શરૂઆત કરવી જોઇએ. ગાયને ચારો ખવડાવવો કે કોઇ જરૂરિયાતમંદને દાન આપવું કે નાની બાળાઓને ઉપહાર આપવો જોઇએ. પાપળા કે આંબળાના વૃક્ષની પૂજા કરવી જોઇએ.
દિવાળીનો તહેવાર આવવામાં હવે એક અઠવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે. દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીનો પર્વ કાર્તિક માસમાં મુખ્ય તહેવાર માનવામાં આવે છે. દિવાળી પર લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્વ પણ ખૂબ હોય છે. આ પર્વ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે શુભ મુહૂર્ત પર વિધિ પૂર્વક લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનો શુભ યોગ છે.
દિવાળી પૂજાનું મહત્વ
દિવાળી પર લક્ષ્મી પૂજા જીવનમાં આવનાર આર્થિક પરેશાનીઓથી દૂર કરનાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં લક્ષ્મીજીને વૈભવની દેવી માનવામાં આવે છે. લક્ષ્મીની કૃપાથી જીવનમાં સંપન્નતા આવે છે. કષ્ટોમાંથી મુક્તિ મળે છે. માન્યતા છે કે દિવાળીની રાતે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી લક્ષ્મીજીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. આ કારણ છે કે દિવાળીની પૂજાની લોકો રાહ જોતા હોય છે.
દિવાળી 2021
પંચાંગ અનુસાર દિવાળી પર્વ કાર્તિક માસની અમાસે ઉજવવામાં આવે છે. હિન્દૂ કેલેન્ડર અનુસાર આ વર્ષે કાર્તિક અમાસ 4 નવેમ્બર 2021એ છે.
દિવાળીના શુભ મુહૂર્ત
નવા વર્ષના ચોપડા ખરીદવાના શુભ ચોઘડીયા
આસો વદ-સાતમ, ગુરૂવાર
તા. 28-10-2021 (ગુરૂપુષ્યામૃત યોગ)
સવારે 10:58 થી બપોરે 03:16
આસો વદ-આઠમ, શુક્રવાર
તા.29-10-2021
સવારે 06:44 થી 10:58
ધનતેરસ-ધનપૂજા-કૂબેરપૂજા
આસો વદ બારસ,મંગળવાર
તા. 02-11-2021
સમય: સાંજે 07:15 થી 09:08
રાત્રે 12:24 થી 04:06
કાળી ચૌદશ
આસો વદ તેરસ, કાળી ચૌદશ ક્ષયતિથી
તા. 03-11-2021
કાળી પૂજા/ હનુમાન પૂજા / યંત્ર મશીનરી પૂજા
સમય : સવારે 06:47 થી 9:4
બપોરે 11:17 થી 12:47
સાંજે : 4:30 થી 06:00