VTVના વિશેષમાં સૌથી પહેલા વાત કરવી છે. એક હટકે કહાની અંગે. આપણે ત્યાં એક કહેવત છે કે, નબળા મનના માનવીને રસ્તો પણ નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. બસ આજ કહેવતને સાર્થક કરતી આ હકાની છે દાંતીવાડાના એક દિવ્યાંગ વ્યક્તિની. જે શરિરથી 90 ટકા દિવ્યાંગ છે. પરંતુ તે ખુદના દમ પર રિક્ષા ચલાવી પરિવારનું ભરણ પોષણ કરે છે. ત્યારે કોણ છે આ અદનેરો માણસ આવો તેમને પણ જાણીએ.
દિવ્યાંગ હોવા છતાં ચલાવે છે રિક્ષા
પરિવારના જવાબદારીઓ સાથે માનવસેવા પણ કરે છે
VTV રજનીકાંતભાઈને સેલ્યુટ કરે છે
નબળા મનના માનવીને રસ્તો નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો આ કહેવત સાર્થક કરતો એક કિસ્સો નજરે ચડ્યો છે આપણે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જે પોતાના શરીર થી 90% દિવ્યાંગ છે. છતાં પણ પોતાની હિંમત અને ઘર ચલાવવાની જવાબદારી ને માથે લઇ પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવા માટે રીક્ષા ચલાવી રહ્યો છે.
હિંમત હાર્યા વગર જેણે અશક્યને શક્ય કરી બતાવ્યું
દુનિયાની આશા અપેક્ષા ઓ છોડી પોતાની મહેનત થકી કઈ રીતે આગળ વધવું અને .એમાંય તમે જો કોઈ ગરીબ પરિવાર ના ઘરે જન્મ્યા હોય અને કુદરતે તમારું 90% શરીર પણ સ્વસ્થ ના આપ્યું હોય ત્યારે દુનિયા માં કેવી રીતે કામ કરવું અને કેવી રીતે પેટનો ખાડો પૂરવો એ વાત થી જ કંપારી આવી જતી હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા યુવક સાથે પરિચિત કરાવી છું જે હિંમત હાર્યા વગર પોતાની મહેનતથી આજ તેના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો છે.
દાંતીવાડા તાલુકાના નિલપુર ગામે આવેલા રજનીકાંત પંચાલની વાત કરવા જઈ રહ્યા છીયે. ત્યારે રજનીકાત પંચાલ આમ તો ધોરણ 7 પાસ છે પરંતું ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઉત્સુક હોવા છતાં પણ શરીરના ભાગે 90 ટકા દિવ્યાંગ હોવાથી તેમજ શાળા ગામથી ત્રણ કિલોમીટર દૂર હોવાથી જે તે સમયે કોઈપણ સગવડ તેમજ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને લીધે જેઓ આગળ અભ્યાસ માટે ન જઈ શક્યા જે બાદ તેવો ગામમાં પિતા જોડે નાની એવી દુકાનમાં મદદ રૂપ બન્યા.
90 ટકા અપંગ હોવા છતાં રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું
કુદરત ની કઠિનતા તો જુઓ કે એક દિવસ અચાનક તેમના પિતાનું અવસાન થતાં રજનીકાંતના માથે ભારે જવાબદારી આવી પડી. ઘરમાં માતા સહિત અન્ય ભાઈ ને ભણતર તેમજ તેમના ભરણ પોષણ માટે કોઈ આવક નહોતી. પિતા ની છત્રછાયા ગુમાવ્યા બાદ તમામ ઘરની જવાબદારીઓ વધી જતા જેવોએ દુકાન બંધ કરી રજનીકાંતે રિક્ષા લાવાનું નક્કી કર્યું. જે બાદ હપ્તેથી રજનીકાંત રીક્ષા લાવી અને હાથે-પગે અને કમરના ભાગેથી 90 ટકા અપંગ હોવા છતાં રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું.
આ 90 ટકા દિવ્યાંગ યુવક આત્મનિર્ભર કેવી રીતે બનાય જેનો જીવતો જાગતો સંદેશ છે.
રજનીકાંત સવારમાં 7 વાગ્યાથી જ વહેલી સવારે રિક્ષા લઈને ઘરેથી નીકળી પડે છે અને સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરે પરત આવે છે. બસ રજનીકાંતના મગજમાં એક જ વિચાર દિવસમાં આવ્યા કરે છે.કે સવારથી લઇને સાંજ સુધી રૂપિયા 500 ઘરે ન લાવે તો રજનીકાંતની ઊંઘ હરામ થઈ જાય છે..નાના ભાઈ ના અભ્યાસ ની જવાબદારી વૃધ્ધ માતા ની જવાબદારી ને લઇ આરામ તેમના નસીબ માં નથી. રજનીકાંતે પોતાની રીક્ષા મારફતે ૧૫૦૦થી વધુ કિલોમીટરનું અંતર કાપી બીએસએફના અનેક જવાનોને પ્રવાસમાં લઈ જવાનું પણ કામ કરી ચૂક્યા છે છેલ્લા 13 વર્ષથી અંબાજી પગપાળા ચાલતા યાત્રીઓ માટે પણ સેવાનું કર્યા કરે છે જે બદલ કલેક્ટર દ્વારા સન્માનિત કર્યા હતા આજના યુવાધનો માટે આ 90 ટકા દિવ્યાંગ યુવક ની જેમ આત્મનિર્ભર કેવી રીતે બનાય જેનો જીવતો જાગતો સંદેશ આપે છે.
સરકાર આવા પરિવારને આત્મનિર્ભર બનવામાં મદદ કરે તો સોનામાં સુંગધ ભળે
કહેવાય છે કે ભૂખ્યા પેટે કોઈ દિવસ ઊંઘ ના આવે .ત્યારે પોતાની સાથે પોતાની માતા તેમજ પોતાના ભાઈ ના બે ટંક ના ભોજન માટે એક દિવ્યાંગ યુવકે પોતાના શરીર ની પરવા કર્યા પરિવાર ની જવાબદારી ને પૂરી કરવા એક કઠિન પરિશ્રમ માં લાગી જાય છે.આપને જોઈએ છીએ કે આ આધુનિક ફેશન ના જમાનામાં ધનવાન લોકો ના બાળકો સારી હોટેલ માં જમવામાં કે તેમની બર્થડે પાર્ટી માં હઝારો રૂપિયા મિનિટો માં ખર્ચ કરી નાખતા હોય છે.ત્યારે બીજી તરફ દુનિયા માં આવા પણ દિવ્યાંગ લોકો છે જે પોતાના પરિવાર પર આવેલી આફત સામે એક ચટ્ટાન બની મુકાબલો કરી પોતાના પરિવાર માટે રાત દિવસ મહેનત કરી પોતાને તેમજ પરિવારને કોઈ ની આશા વગર આત્મ નિર્ભર બનાવ્યું છે. જોકે સરકાર દ્વારા આવા દિવ્યાંગ પરિવારો માટે કોઈ ખાસ યોજના થકી તેમની આત્મ નિર્ભરતામાં સહાય રૂપ બને તે પણ ખૂબ જરૂરી બની રહેછે.