દિવાળીના પ્રસંગ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ પર રામલલાના દર્શન કર્યા.
યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ પર રામલલાના દર્શન કર્યા
સમગ્ર દેશવાસીઓને દિવાળીની મંગલમય કામનાઓ વ્યક્ત કરુ છુ- યોગી
અયોધ્યામાં બન્યો વર્લ્ડ રેકોર્ડ
યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ પર રામલલાના દર્શન કર્યા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ જારી છે. દિવાળીના પ્રસંગ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ પર રામલલાના દર્શન કર્યા. તેમમે પહેલા હનુમાગઢી મંદિરમાં પૂજા અર્ચના કરી. આ બાદ સીએમે નાની છાવણીમાં નૃત્ય ગોપાલ દાસજી સાથે મુલાકાત કરી. તેમણે કૌશલ કિશોર દાસના ખબર અંતર પુછ્યા. કૌશલ કિશોર ગોરખનાથ પીઠ સાથે જોડાયેલા છે. આ બાદ સીએમ યોગીએ અયોધ્યામાં એક ગરીબના ઘરે જઈને તેમના ખબર અંતર પુછશે.
સમગ્ર દેશવાસીઓને દિવાળીની મંગલમય કામનાઓ વ્યક્ત કરુ છુ- યોગી
સીએમ યોગી આદિત્યનાથે આની પહેલા દિવાળીની શુભકામનાઓ આપી. યોગીએ કહ્યું, સમગ્ર દેશવાસીઓને દિવાળીની મંગલમય કામનાઓ વ્યક્ત કરુ છુ. એટલું જ નહીં પેટ્રોલ ડીઝલથી એક્સાઈઝ ટ્યૂટી ઓછી કરવા પર તેમણે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
અયોધ્યામાં બન્યો વર્લ્ડ રેકોર્ડ
આની પહેલા અયોધ્યામાં બુધવારે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગ પર પ્રભુ શ્રીરામની નગરીને 12 લાખ દીવાથી સજાવવામાં આવી છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. 12 લાખ દીવાને સળગાવવા માટે 36 હજાર લીટર સરસોના તેલનો ઉપયોગ થયો. જેમાં રામની પૈડી પર 9 લાખ અને અયોધ્યાને બાકીના ભાગો 3 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા. ત્યારે રામજન્મભૂમિ પરિસરમાં 51 હજાર દીવા પ્રગટાવ્યા. આ વખતે દીવાની ગણતરી માટે ગિનિઝ બૂક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડની ટીમ પહોંચી હતી. 32 ટીમોએ મળીને 12 લાખ દીવા પ્રગટાવ્યા. જેમાં લગભગ 12 હજાર લોકો સામેલ રહ્યા. આ વખતે પહેલી વાર ડ્રોન શોનું આયોજન થયું.