એસ. ટી. વિભાગના કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત થઇ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. ફિક્સ પગારના કર્મચારીના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
ફિક્સ પગારના કર્મચારીના પગારમાં કરાયો વધારો
ડ્રાઇવર, કંડક્ટર, હેલ્પર અને ક્લાર્કના પગારમાં વધારો
12,692 કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરે છે
એસ. ટી. વિભાગના ડ્રાઇવર, કંડક્ટર, હેલ્પર અને ક્લાર્કના પગારમાં વધારો કરાયો છે. 12 હજાર 692 કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરે છે. જ્યારે વર્ગ-4ના કર્મચારીઓને 15 હજાર પગાર મળશે. વર્ગ-2ના સિનિયર અધિકારીઓને 16 હજાર 800થી વધારી 40 હજાર પગાર કરવામાં આવ્યો છે.
જ્યારે જુનિયર અધિકારી 14 હજાર 800 પગાર હતો તે 38 હજાર કરવામાં આવ્યો છે. આથી એસ.ટી. નિગમ પર 94 કરોડનું ભારણ વધશે. આજથી જ આ પગાર વધારો અમલમાં આવશે. 15 દિવસનો પગાર નવા ધોરણો પ્રમાણે મળશે.
સુપરવાઇઝરનો પગાર વધારા સાથે રૂપિયા 21 હજાર કરાયો છે. જ્યારે ડ્રાઇવર કમ કંડક્ટરનો પગાર રૂપિયા 11 હજારથી વધારી રૂપિયા 18 હજાર કરવામાં આવ્યો છે.