શહેરના મીરજાપુર વિસ્તારમાં આવેલ ત્રણ ખૂિણયા બગીચા પાસે કાર એસેસરીઝનો ધંધો કરતા ચાર વેપારીઓની પોલીસે ગઇ કાલે અટકાયત કરતાં મામલો બીચક્યો છે. ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તે રીતે વેપારીઓએ જાહેર રોડ પર ગ્રાહકોનાં વાહન ઊભાં કરી દીધાં હતાં, જેમાં શાહપુર પોલીસે ટ્રાફિક ડ્રાઇવ યોજીને આઇપીસી કલમ- ર૮૩ મુજબ અટકાયત કરી હતી. વેપારીઓએ પોલીસ પર લાંચ માગવાના આક્ષેપ કરતાં દિવાળીમાં ૪૦૦ વેપારીઓ પાસેથી બે-બે હજાર ઉઘરાવીને આપવાની ઓટો િમલ એસોિસયેશને ના પાડી દેતાં પોલીસે આ કેસ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
કાર એસેસરીઝના વેપારીઓનો ગંભીર આક્ષેપ
પોલીસે વેપારીઓના આક્ષેપ ફગાવ્યા
ટ્રાફિક અડચણરૂપ પાર્કિંગના કારણે કાર્યવાહી રકાઇ
મીરજાપુર વિસ્તારમાં ઘણાં વર્ષથી કાર એસેસરીઝનો ધંધો ચાલી રહ્યો છે. કાર અને બાઇક મોડીફાઇ કરવાં હોય કે નંબર પ્લેટ લગાવવી હોય અને વાહનના પાર્ટ્સ લેવા હોય તો મીરજાપુર વિસ્તારને કાર એસેસરીઝનું હબ ગણવામાં આવે છે. ગઇ કાલે શાહપુર પોલીસે ટ્રાફિકની એક ડ્રાઇવ યોજી હતી, જેમાં કાર એસેસરીઝનો ધંધો કરતા ચાર વેપારીઓની આઇપીસીની કલમ-ર૮૩ મુજબ અટકાયત કરી હતી.
વેપારીઓ જાહેર રોડ પર ગ્રાહકોનાં વાહન પાર્ક કરીને તેમાં એસેસરીઝનું કામ કરે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પોલીસે ગઇ કાલે એફ.કે. શીટ કવર નામની દુકાન ધરાવતા અલ્લારખ્ખા શેખ (રહે. સૈયદવાડા, રાયખડ), જે.એસ. ઓટો એસેસરીઝ નામની દુકાન ધરાવતા ઇફતીખાર અહેમદ કુરેશી (રહે. દ્વારકાદાસ પટેલની ચાલી, મીરજાપુર), આર.કે. શીટ કવરના માિલક મોહંમદ યુસુફ કુરેશી (રહે. પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, મીરજાપુર) અને મતીન મોટર્સના માિલક ઉસ્માન હાજી કુરેશી (રહે. પ્રેરણા સોસાયટી, શાહપુર)ની ધરપકડ કરી હતી.
ચાર વેપારી પૈકી અલ્લારખ્ખા શેખ એડ્વોકેટ છે અને તે તેમના પુત્રને દુકાન પર મળવા માટે ગયા હતા. ચારેય વેપારીઓને પોલીસ સ્ટેશનમાં લઇ જવાતાં તમામ વેપારીઓએ સ્વેચ્છાએ પોતાની દુકાન બંધ કરી દીધી હતી અને પોલીસ સ્ટેશનમાં પહોચી ગયા હતા તો બીજી તરફ વકીલઆલમ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયાં હતાં. ચાર કલાક બાદ તમામ વેપારીઓને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.
પોલીસે કરેલી કાર્યવાહીમાં વેપારીઓએ તેમના પર લાંચ માગવાનો આરોપ કર્યો છે. આ મામલે મીરજાપુર ઓટો મિલ એસોસિયેશનના સેક્રેટરી ઉસ્માન કુરેશીએ જણાવ્યું છે કે પોલીસે દિવાળીના સમય પર ૪૦૦ સભ્ય પાસેથી બે હજાર ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો હતો, જે અમે ના પાડી દેતાં આ કેસ કરવામાં આવ્યો છે. આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર. કે. અમીને વેપારીઓના આરોપને ફગાવીને જણાવ્યું કે, ''ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત વેપારીઓ સામે કાર્યવાહી કરી છે.