રામાયણમાં રાજા દશરથના ચાર પુત્રોનો ઉલ્લેખ મળે છે. રામ, લક્ષ્મણ ભરત અને શત્રુધ્ન. ઘણા ઓછા લોકોને જાણકારી છે કે ભગવાન રામની એક બહેન પણ હતી. જેનો રામાયણમાં ક્યાય કોઈ ઉલ્લેખ નથી.
ભગવાન રામની બહેન કોણ હતી?
રામાયણમાં તેનો ક્યાય કોઈ ઉલ્લેખ કેમ નથી?
રાજા દશરથે બાળપણમાં પુત્રીને અંગદેશના રાજા રોમપદને દત્તક આપી હતી
શાંતા રાજા દશરથ અને કૌશલ્યાની સૌથી મોટી પુત્રી હતી
આવો આજે અમે તમને જણાવીએ કે ભગવાન રામની બહેન કોણ હતી અને રામાયણમાં તેનો ક્યાય કોઈ ઉલ્લેખ કેમ નથી. દક્ષિણ ભારતની રામાયણ મુજબ, પ્રભુ શ્રીરામની બહેનનુ નામ શાંતા હતુ. શાંતા રાજા દશરથ અને કૌશલ્યાની સૌથી મોટી પુત્રી હતી. શાંતા બાળપણથી જ સર્વગુણ સંપન્ન હતી. તે વેદ અને શિલ્પકલામાં નિપુણ હતી. જો કે, રાજા દશરથે બાળપણમાં શાંતાને અંગદેશના રાજા રોમપદને દત્તક આપી દીધી હતી. ખરેખર રાજા રોમપદની બહેન વર્ષિણી કૌશલ્યાની બહેન અને શાંતાની માસી હતી.
રાજા દશરથે શાંતાને કેમ દત્તક આપી?
એક વખત રાજા રોમપદ અને તેમની પત્ની વર્ષિણી રાજા દશરથ અને કૌશલ્યાને મળવા અયોધ્યા ગયા. રાજા રોમપદ અને વર્ષિણીને કોઈ બાળક ન હતુ. તેથી તેમણે રાજા દશરથ અને તેમની પત્નીને શાંતાને દત્તક લેવાની વાત કહી. કારણકે એક કન્યા હોવાના કારણે શાંતા રઘુકુલનુ સિંહાસન સંભાળી શકતી નહોતી. તેથી રાજા દશરથ શાંતાને દત્તક આપવા માટે રાજી થઇ ગયા. જ્યારે કૌશલ્યા પોતાની બહેનને ઘરમાંથી બહાર મોકલવા રાજી નહોતા. પરંતુ તેઓ પણ શાંતાને દત્તક આપવા માટે તૈયાર થઇ ગયા અને આ રીતે શાંતા અંગદેશની રાજકુમારી બની.
રામાયણમાં કેમ નથી થયો શાંતાનો ઉલ્લેખ?
રામાયણમાં રાજા દશરથના ચાર પુત્રોનો ઉલ્લેખ મળે છે. ક્યાય પણ તેમની પુત્રી શાંતાનો ઉલ્લેખ નથી. એવુ કહેવાય છે કે શાંતા કન્યા હોવાના કારણે રઘુકુલનુ સિંહાસન સંભાળવા માટે યોગ્ય ન હતી. બીજુ કૌશલ્યની બહેન વર્ષિણીને કોઈ બાળક ન હતુ. તેથી રાજા દશરથ અને કૌશલ્યાએ તેની પુત્રી શાંતાને તેમને ભેટમાં આપી દીધી હતી. રામાયણમાં શાંતાનો ઉલ્લેખ એટલે જોવા મળતો નથી. કારણકે તે બાળપણમાં જ અયોધ્યા છોડીને અંગદેશ જતી રહી હતી.