દિવાળીમાં કેટલાંક જ્યોતિષ ઉપાય કરવામાં આવે છે, જેને કરવાથી જીવનમાં ક્યારેય પણ આર્થિક સમસ્યા આવતી નથી અને ઘર-પરિવારમાં ખુશી આવે છે. એવામાં આવો આચાર્ય પાસેથી જાણીએ દિવાળીના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાયો વિશે.
દિવાળીમાં નારિયેળ સાથે જોડાયેલ કરો આ ઉપાય
પરિવારમાં આનંદ-ઉત્સાહનુ વાતાવરણ રહેશે
જીવનમાં ક્યારેય પણ આર્થિક સમસ્યા આવતી નથી
દિવાળીના દિવસે કરો આ ઉપાય
23 ઓક્ટોબરથી પાંચ દિવસના દિવાાળી ઉત્સવની શરૂઆત થઇ રહી છે. જેમાં પહેલા ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ગોવર્ધન પૂજા અને છેલ્લે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે. તો પ્રકાશ અને ખુશીનો તહેવાર દિવાળી 24 ઓક્ટોબરે છે. કહેવામાં આવે છે કે દિવાળીના દિવસે માં લક્ષ્મી લોકોના ઘરે આવે છે અને જ્યાં સાફ-સફાઈ થાય છે ત્યાં વાસ કરે છે. આ ઉપરાંત દિવાળીના દિવસે અમુક જ્યોતિષ ઉપાય કરવામાં આવે છે, જેના કારણે જીવનમાં ક્યારેય પણ આર્થિક સમસ્યા આવતી નથી. એવામાં આવો આચાર્ય પાસેથી જાણીએ દિવાળીના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાયો વિશે.
જો તમે પોતાના ઘર-પરિવારમાં આનંદ રાખવા માગો છો તો ધનતેરસના દિવસે એક સૂકુ નારિયેળ ખરીદીને લાવો અને દિવાળીના દિવસે તેને માં લક્ષ્મીનો ભોગ ધરાવો. તમે ઈચ્છો તો આ નારિયેળમાંથી કોઈ મિઠાઈ બનાવીને ભોગ ધારણ કરો અથવા ફરીથી તેને ઘસીને તેમાં થોડી ખાંડ મિક્સ કરીને પ્રસાદ કરી શકો છો. આમ કરવાથી તમારા ઘર-પરિવારમાં ઉત્સાહ રહેશે.
જો તમે તમારા ઘરમાં ધનનો વરસાદ કરવા માંગો છો તો આ દિવસે કુબેર યંત્ર ઘરે લાવીને રાખો અને દિવાળીના દિવસે સાંજે પૂજાના સમયે આ યંત્રની પણ વિધિપૂર્વક પૂજા કરો અને કુબેરના મંત્ર દ્વારા ઓછામાં ઓછા 51 હજાર વખત સિદ્ધ કરીને પોતાના ઘરમાં સ્થાપિત કરો. મંત્ર છે, ઓમ શ્રીં ઓમ ર્હીં શ્રીં ર્હીં ક્લીં શ્રી ક્લીં વિત્તેશ્વરાય નમ: આમ કરવાથી તમારા ઘરમાંથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થશે.
જો તમે પોતાના ઘરમાં સુખ-શાંતિ બનાવવા માંગો છો તો આ દિવસે તમે એક રૂનુ પેકેટ ખરીદીને ઘરે લાવો અને તેના પર શ્રી ગણેશાય નમ: મંત્રનો 11 વખત જાપ કરો. મંત્ર જાપ કર્યા બાદ આ રૂની વાટ બનાવીને રાખી લો અને ધનતેરસથી લઇને દિવાળી સુધી તમે ઘરમાં જે દીવો પ્રગટાવો તેમાં આ વાટનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે.