એવું કહેવાય છે કે કાર્તકની અમાસ તમામ અમાસમાં સૌથી મોટી છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ ચમત્કારી સાબિત થાય છે.
કાર્તક માસની અમાસનું છે ખાસ મહત્વ
દિવાળી પર અચુક કરો આ ઉપાય
કુબેરના ભંડાર ઘરે આવતા વાર નહીં લાગે
દિવાળીનો તહેવાર હિન્દુઓના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે.
આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા સાથે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને ધન-ધાન્યની કમી નથી રહેતી. જ્યોતિષમાં દિવાળીની રાત્રે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેને યોગ્ય રીતે કરવાથી ધનની દેવીની કૃપા બની રહે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિનામાં આવતી અમાસ પર અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. પરંતુ કાર્તક અમાસનું વિશેષ મહત્વ છે. ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. જો તમે પણ કોઈ રોગ, દુઃખ અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો દિવાળીના દિવસે આ ઉપાયો કરી તેનાથી છુટકારો મેળવી શકો છો.
દિવાળીની રાત્રે કરો આ ઉપાયો
જો તમે તમારા સૌભાગ્યમાં વધારવા કરવા માંગતા હોવ તો દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીને શણગાર ચઢાવો. બે દિવસ પછી તે વસ્તુઓ તમારી પત્નીને પ્રસાદ તરીકે વાપરવા માટે આપો.
એવું માનવામાં આવે છે કે કાર્તક અમાસના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિના દુ:ખ અને અવરોધો દૂર થાય છે. જો શક્ય હોય તો આ દિવસે ભોજનનું દાન કરો. તેમજ ગરીબ અને જરૂરિયાતમંદોને દક્ષિણા આપો. જેનાથી વ્યક્તિને ભોજન અને અન્નની કમી નહીં થાય.
માનસિક અને શારીરિક બીમારીઓથી પીડિત જાતક દિવાળી પર મહામૃત્યુંજયનો પાઠ કરો.
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા લોકોને આજના દિવસે ભગવાન વિષ્ણુનું નામ લેવું જોઈએ. નામ લેતી વખતે લોટની 108 લાઈન બનાવી લો અને માછલીને ભોજન આપો. તમને જલ્દી પરિણામ જોવા મળશે.
એવું માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે કીડીઓને લોટ ખવડાવવાથી પાપોનો નાશ થાય છે. અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
દિવાળીની સાંજે ઘરની ઈશાન દિશામાં બેસો. નાડાછળીથી જ્યોત બનાવો અને ઘીનો દીવો કરો. દીવામાં થોડું કેસર અથવા હળદર નાખો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
જો તમે બેરોજગાર છો અથવા નોકરીમાં તરક્કી ઈચ્છો છો તો દિવાળીની સવારે મંદિરમાં એક લીંબુ મુકી દો. ત્યાર બાદ રાતના સમયે કોઈ બેરોજગાર વ્યક્તિના માથાથી લીંબુને ઉતારી લો અને ચાર ભાગમાંથી કાપી લો. લીંબુના આ ભાગને ચાર દિશાઓમાં ફેંકી દો.
આ દિવસે ગંગાસ્નાનનું ખાસ મહત્વ છે. જો ગંગાસ્નાન સંભવ ન હોય તો આ દિવસે નહાવાના પાણીમાં ગંગાજળ મિક્ષ કરીને સ્નાન કરો. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો.