ઓક્ટોબર મહિનો શરૂ થઈ ચુક્યો છે. દિવાળી આવવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો નવરાત્રિ પછી દિવાળીની તૈયારીઓ શરૂ કરી દેશે. જો તમે આ દિવાળી પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આ ઉપાય ચોક્કસથી કરો.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી
દિવાળી પર કરો આ ઉપાય
મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદ
દિવાળી પર ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જો કે માહિતીના અભાવે ઘણા લોકોને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની સાથે મહાલક્ષ્મી યંત્ર અથવા શ્રીયંત્રની પણ પૂજા કરવી જોઈએ. વિધિ પ્રમાણે શ્રી યંત્રની પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે. આવી સ્થિતિમાં શ્રી યંત્રની પૂજા કેવી રીતે કરવી તે જાણીએ.
વિશેષ લાભની પ્રાપ્તિ
દિવાળી પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરી સુખ-સમૃદ્ધિ અને આર્થિક તંગીમાંથી મુક્તિની કામના કરે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની સાથે શ્રી યંત્રની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.
ધનતેરસ પર કરો ખરીદી
ધનતેરસના દિવસે અન્ય વસ્તુઓની ખરીદીની સાથે શ્રીયંત્રની પણ ખરીદી કરો. શ્રીયંત્રો સોના, ચાંદી, તાંબા, પિત્તળ, સ્ટીલના બનેલા હોય છે. લોકો તેમની ક્ષમતા અનુસાર તેને ખરીદી શકે છે. આ પછી દિવાળીની પૂજાના દિવસે તેને મંદિર અથવા પૂજા સ્થાન પર સ્થાપિત કરો.
લાલ કાપડ પર કરો સ્થાપિત
તેની સ્થાપના કરતા પહેલા તમારે કેટલાક નિયમો જાણવાની જરૂર છે. સૌથી પહેલા સ્નાન કરી તૈયાર થાઓ. આ પછી જ્યાં શ્રીયંત્ર રાખવામાં આવશે તે સ્થાનને સારી રીતે સાફ કરો. આ પછી તેને લાલ કપડા પર સ્થાપિત કરો પછી તેના પર પંચામૃત અને ગંગાજળનો છંટકાવ કરો.
આ મંત્રનો કરો જાપ
શ્રી યંત્રની સ્થાપના કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેની સ્થાપના દેવી લક્ષ્મીની મૂર્તિ સાથે ન કરવી જોઈએ. તેને થોડા અંતરે સ્થાપિત કરો. આ પછી લક્ષ્મી પૂજા કરો અને પછી શ્રીયંત્રની પૂજા કરો. આ પછી 'ઓમ શ્રી' મંત્રનો 108 વાર જાપ કરો. શ્રીયંત્ર પર લાલ ફૂલ, નાળાછડી અને અક્ષત ચઢાવવામાં આવે છે અને મીઠાઈઓ પણ ચઢાવવામાં આવે છે.