દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. પરંતુ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી નથી. શું છે તેની પાછળનું કારણ જાણો અહીં.
દિવાળી પર લક્ષ્મી પૂજનની પરંપરા
લક્ષ્મી સાથે વિષ્ણુની પૂજા કેમ નથી થતી?
જાણો તેના પાછળની પૌરાણિક કથા
હિંદુ ધર્મમાં તમામ દેવતાઓની પૂજા માટે ખાસ દિવસ હોય છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી આખા વર્ષ દરમિયાન સુખ, સમૃદ્ધિ અને ધનની કમી નથી રહેતી.
દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. પરંતુ આ દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી નથી. તેની પાછળ એક પૌરાણિત કથા છે.
દિવાળી પર આ દેવી-દેવતાઓની થાય છે પૂજા
દિવાળીના તહેવાર પર ધનની દેવી લક્ષ્મી, રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશ અને ધનના દેવતા ભગવાન કુબેરની ઘરે-ઘરે પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે દેવી સરસ્વતી અને માતા કાલીની પણ પૂજા કરવામાં આવે છે.
દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવન સુખમય રહે છે. ચાલો જાણીએ કે દિવાળી પર માતા લક્ષ્મીની સાથે શ્રીહરિની પૂજા કેમ કરવામાં આવતી નથી.
ભગવાન વિષ્ણુની પૂજા કેમ નથી કરવામાં આવતી?
પૌરાણિક કથાઓ અનુસાર દિવાળીના દિવસે મા લક્ષ્મીની સાથે ભગવાન શ્રીહરિની પૂજા કરવામાં આવતી નથી. આની પાછળનો તર્ક એ છે કે દિવાળીનો તહેવાર ચાતુર્માસની વચ્ચે આવે છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં લીન હોય છે.
આ કારણે ભગવાન વિષ્ણુ કોઈ પણ ધાર્મિક કાર્યમાં હાજર નથી હોતા તેથી દિવાળીના દિવસે માતા લક્ષ્મી ભગવાન શ્રીહરિ વિના ઘરે ઘરે જઈને આશીર્વાદ વરસાવે છે. એવું કહેવાય છે કે કાર્તક પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે. ત્યારબાદ દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિની પૂજા એક સાથે કરવામાં આવે છે.