દિવાળીએ ઘરના પૂજા સ્થળ સિવાય આ જગ્યા પર દીવો પ્રગટાવવો શુભ હોય છે. માન્યતા છે કે ઘરમાં માં લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે.
દિવાળીએ આ જગ્યાએ પ્રગટાવો દીવો
ઘરમાં માં લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે
ઘરમાં આ જગ્યાએ પ્રગટાવો દીવો
દીવો પ્રગટાવવાથી ઘરમાં માં લક્ષ્મીનો થાય છે વાસ
ધનતેરસે ઘરના મુખ્ય દ્વાર પર 13 દીવા પ્રગટાવવામાં આવે છે. તો ઘરની બહાર જ્યાં કચરો ફેંકવામાં આવે છે ત્યાં યમના નામનો એેક સરસોના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. માન્યતા છે કે યમના નિમિત્ત દીયાનો આંટો બનાવવો શુભ હોય છે. કાળી ચૌદસના દિવસે 14 દીવા પ્રગટાવવામાં આવેે છે. આ સાથે દિવાળીના દિવસે એક ઘીનો મોટો દીવો અને એક તેલનો મોટો દીવો પ્રગટાવવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા મુજબ આ દીવો આખી રાત પ્રગટાવવામાં આવે છે.
દિવાળીએ કયા-કયા પ્રગટાવશો દીવો
ખરેખર માં લક્ષ્મી માટે આ દીવાને પ્રગટાવવામાં આવે છે. જેમાંથી એક દીવો તુલસીની નજીક, પૂજા ઘરમાં, ઘરના મંદિરમાં, એક દીવો પાણીયારે, એક દીવો વાહન રાખવાના સ્થાને, એક દીવો બાથરૂમમાં, એક રસોડામાં, એક દીવો પિતૃઓ નિમિત્ત અને એક દીવો યમ દેવના નિમિત્તે પ્રગટાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સ્થાન પર દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મીનો ભરપૂર આશીર્વાદ મળે છે.
દિવાળીએ દીવો પ્રગટાવવાના નિયમ
દીવાની વાટ- દીવામાં તેની વાટનુ વિશેષ મહત્વ હોય છે. ઘીના દીવા માટે રૂનો ઉપયોગ કરવો શુભ હોય છે. જો તમે સરસો અથવા તલના તેલનો દીવો પ્રગટાવો છો તો તેમાં લાલ દોરાની વાટનો ઉપયોગ કરવો ઉત્તમ હોય છે.
દીવો રાખવાની દિશા- દીવો પ્રગટાવ્યાં બાદ તેની દિશાનુ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. અમુક લોકો આ વાતને નજર અંદાજ કરી દે છે, જે યોગ્ય નથી. દીવાને ક્યારેય પણ ખૂણામાં ના રાખવો જોઈએ. દિવાળીએ ખંડિત દીવાનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણકે માન્યતા છે કે તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે.
શુભ મુહૂર્ત- દિવાળીએ દીવો પ્રગટાવતી વખતે શુભ મુહૂર્તનુ ધ્યાન રાખો. કહેવામાં આવે છે કે શુભ મુહૂર્તમાં દીવો પ્રગટાવવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.