દિવાળી પર શુભ અને લાભના દેવતા ભગવાન શ્રી ગણેશ અને ધનના દેવી માતા લક્ષ્મી પાસેથી ઈચ્છા અનુસાર આશીર્વાદ લેવા માટેની પૂજાની સૌથી સરળ વિધિ અને શુભ મુહૂર્ત જાણવવા માટે વધુ વાંચો....
દિવાળી પર લક્ષ્મી-ગણેશની પૂજાનું મહત્વ
જાણો આજની પૂજાનું શુભ મુહૂર્ત
દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ આપશે આશીર્વાદ
દિવાળીના મહાપર્વ પર રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આજના દિવસે માતા લક્ષ્મી પોતાની સવારી લઈને પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. જેમના સ્વાગત માટે લોકો પોતાના ઘરને માંગલિક પ્રતીકોથી સજાવીને દિવા પ્રગટાવે છે.
માન્યતા છે કે દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરવા પર વ્યક્તિની દરેક આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને ઘર ધન-ધાન્યથી ભરી દે છે. આવો જાણીએ દિવાળી પર થતી ગણેશ-લક્ષ્મીની સૌથી પીજાનું શુભ મુહૂર્ત અને ઉપાય.
ગણેશજી-લક્ષ્મીજી પૂજાનું શુભ મુહૂર્ત
સાંજે 6:53થી રાત્રે 8:16 વાગ્યા સુધી
પ્રદોષ કાળ
સાંજે 5:43થી રાત્રે 8.16 વાગ્યા સુધી
વૃષભ કાળ
સાંજે 6:53થી રાત્રે 8:48 સુધી
મહાનિશીથ કાળ મુહૂર્ત
રાત્રે 11:40થી 00:31 સુધી
દિવાળીનું શુભ મુહૂર્ત
આજે, 24 ઓક્ટોબર 2022 સોમવારે જ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. સાંજે 05:27 વાગ્યાથી શરૂ થશે અને 25 ઓક્ટોબર 2022ના સાંજે 04:18 વાગ્યા સુધી રહેશે. આજે લોકો ભગવાન શ્રી ગણેશ, માતા મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી અને ભગવાન કુબેરની પૂજા કરશે. આજે પ્રદોષ કાલ સાંજે 05:43 PM થી 08:16 PM અને વૃષભ કાલ સાંજે 06:53 PM થી 08:48 PM સુધી રહેશે.
દિવાળી પર કઈ રીતે કરશે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા?
દિવાળીની શુભ મુહૂર્તમાં પૂજા શરૂ કર્યા પહેલા પોતાના પૂજા સ્થળને સાફ કરી લો અને પોતાની પાસે દરેક પૂજન સામગ્રી મુકી લો જેથી પૂજાના સમયે તમારે વારંવાર ઉભા ન થવું પડે. ત્યાર બાદ પરિવારના બધા સદસ્ય એક સાથે બેસી ગણેશજી અને માતા લક્ષ્મીને ઉત્તર અથવા પૂર્વ દિશાની તરફ પાટલા પર સફેદ કે પીળુ કપડું પાથરીને બિરાજમાન કરો. લક્ષ્મીજીને હંમેશા ગણેશજીની જમણી બાજુ કમળના ફૂલ પર બીરાજીત કરો. તેની સાથે પૂજા માટે મા સરસ્વતી, કુબેર દેવતા, મા કાલીનું ચિત્ર અથવા મૂર્તિ સાથે મુકો.
દિવાળી પૂજાની સૌથી સરળ રીત
દિવાળીની પૂજા શરૂ કરતા પહેલા પૂર્વ દિશા તરફ મુખ કરીને ॐ केशवाय नमः। ॐ माधवाय नमः। ॐ नारायणाय नमः। મંત્રનો જાપ કરો તે વખતે આચમન કરો અને પછી તમારા હાથ ધોઈ લો. આ પછી તમારા પરિવાર અને દેવી-દેવતાઓ પર પાણીનો છંટકાવ કરતી વખતે, નીચે આપેલ મંત્રનો પાઠ કરો.
‘ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा. यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचिः’
આ પછી હાથમાં ફૂલ, જળ અને થોડા પૈસા લઈને તમારી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની કામના કરીને પૂજા કરવાનો સંકલ્પ કરો.
દિવાળીની પૂજાનો મહાઉપાય
દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે આજે તેમની પૂજામાં તેમની સામે એક મોટો દીવો પ્રગટાવવો જે આખી રાત પ્રગટતો રહે છે. એવું માનવામાં આવે છે કે આ દીવાના પ્રકાશથી આકર્ષિત થઈને દેવી લક્ષ્મી તમારી પાસે આવે છે અને તમારા ઘરમાં રહીને આખુ વર્ષ તમને ધન અને ભોજન પ્રદાન કરે છે.
આ ઉપાય સાથે આજે માતા લક્ષ્મી સામે મંત્ર “ॐ श्रीं श्रीयै नमः” અથવા “ॐ ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद महालक्ष्मयै नमः”નો જાપ કરો.