માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે દિવાળીનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે અમુક લકી પ્લાન્ટને ઘરે લાવવાથી જીવનમાં કોઈ પણ દુ:ખનો સામનો કરવો પડતો નથી. આ સાથે વ્યક્તિના જીવનમાંથી આર્થિક સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે. આવો જાણીએ આ છોડ અંગે.
દિવાળીના દિવસે ઘરે લગાવો આ પ્લાન્ટ
જીવનમાં કોઈ પણ દુ:ખનો સામનો કરવો પડતો નથી
જીવનમાંથી આર્થિક સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે
અપરાજિતાનો છોડ
વાસ્તુ શાસ્ત્ર મુજબ અપરાજિતાના છોડને પણ લકી માનવામાં આવે છે. જેને ઘરમાં લાવવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુ મુજબ તેને દિવાળીના દિવસે ઘરે લાવવાથી ધનની ક્યારેય પણ કમી થતી નથી. આ સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિમાં પણ ફેરફાર આવે છે.
મની પ્લાન્ટ
વાસ્તુ મુજબ મની પ્લાન્ટનો છોડ નામ મુજબ કામ કરે છે. જેને સુખ-સમૃદ્ધી અને ધન લાભનો છોડ કહેવામાં આવે છે. દિવાળીના દિવસે તમે મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ધન આગમનના રસ્તા ખુલી જાય છે.
તુલસીનો છોડ
કારતક મહિનામાં તુલસીના છોડનુ મહત્વ ઘણુ વધારે છે. એવામાં દિવાળીના દિવસે તુલસીનો છોડ ઘરે લગાવવાથી માં લક્ષ્મીની કૃપા આખુ જીવન રહે છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે.
રબરનો છોડ
વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા છોડ અંગે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. એટલું જ નહીં, જો તેને કોઈ ખાસ દિવસ લગાવવામાં આવે તો તે ખૂબ શુભ ફળદાયી પણ સાબિત થાય છે. કહેવાય છે કે દિવાળીના દિવસે રબરનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. જેનાથી ધન લાભની સાથે-સાથે સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક પ્રભાવ પણ પડે છે.