દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા નિયમ પ્રમાણે કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
દિવાળીમાં નિયમ પ્રમાણે કરો લક્ષ્મીની પૂજા
ગણેશજીની પૂજાથી થશે ધન લાભ
બદલાઈ જશે તમારી કિસ્મત
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળી ખૂબ જ ખાસ દિવસ છે. દિવાળીમાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે. એવામાં લોકોએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની બધી જ તૈયારીઓ કરી લીધી છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે અને ઉપાયો પણ કરવામાં આવે તો ધનની દેવી પ્રસન્ન થાય છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ દિવસે પૂજાની સાથે યોગ્ય પદ્ધતિથી માતાની આરતી કરવામાં આવે તો ઘરમાં માતાનું કાયમી આગમન થાય છે.
દિવાળી પર આ વિધિથી કરો માતા લક્ષ્મીની આરતી
દિવાળી પર કરવામાં આવેલો તમારો નાનકડો ઉપાય પણ તમારી કિસ્મત બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિની દરેક સમસ્યા વિશે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક ઉપાય છે મા લક્ષ્મીની યોગ્ય પદ્ધતિથી આરતી.
દિવાળીની રાત્રે લક્ષ્મીની પૂજા કર્યા પછી ચાંદીની વાટકી લો અને તેમાં કપૂર સળગાવી દો. આ ચાંદીના વાટકા અથવા દીવાથી મા લક્ષ્મીની આરતી કરો. આમ કરવાથી વ્યક્તિના ધનમાં વધારો થાય છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.