દિવાળી પર પૂજા કરવાની સાથે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીની કૃપા પરિવાર પર બની રહે છે.
દિવાળી પર ઘરે લઈ આવો આ વસ્તુઓ
પરિવાર પર માતા લક્ષ્મીની રહેશે કૃપા
પ્રસન્ન થઈ આપશે આશીર્વાદ
દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મા લક્ષ્મી ભક્તોની વચ્ચે પૃથ્વી પર આવે છે અને પ્રસન્ન થઈને તેમના ઘરે વાસ કરે છે. પૂજા કરવાની સાથે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીની કૃપા પરિવાર પર બની રહે છે. આવો જાણીએ દિવાળીના દિવસે કઈ વસ્તુઓ ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે.
ગોમતી ચક્ર
દેવી લક્ષ્મીની પૂજામાં ગોમતી ચક્રનો સમાવેશ કરવો જોઈએ. તેથી દિવાળી પર 11 ગોમતી ચક્ર ખરીદી ઘરે લાવો. સાથે જ તેને મા લક્ષ્મીને અર્પણ કરો. આ પછી બીજા દિવસે તેને લાલ કપડામાં બાંધી અને એવી જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા મુકો છો. જેના કારણે મા લક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
લક્ષ્મી-ગણેશની મૂર્તિ
દિવાળી અથવા કાળી ચૌદસના દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ મૂર્તિ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.
મૂર્તિ લાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે ક્યાંયથી ખંડિત ન હોય. પૂજામાં તૂટેલી મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે ગણેશજીની સૂઢ ડાબી બાજુ હોય.
નવા કપડા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળી પર ઘરમાં નવા કપડાં લાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી શુક્ર દેવતા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા ભક્તો પર બની રહે છે.
શ્રી અને મહાલક્ષ્મી યંત્ર
શ્રી યંત્ર અથવા મહાલક્ષ્મી યંત્ર પણ લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે જે ઘરમાં આ યંત્ર હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. લક્ષ્મી પૂજામાં આ યંત્રોની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ યંત્રોને પૂજા સ્થાન પર રાખો. અને રોજ ધૂપ અને અગરબત્તી સળગાવો. આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
લક્ષ્મી કોડી
દિવાળીના દિવસે કોડી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે લક્ષ્મીજીને પ્રિય કોડીનો જન્મ સમુદ્ર મંથન દરમિયાન થયો હતો. એવું કહેવાય છે કે કોડીમાં પૈસા આકર્ષવાના ગુણ હોય છે. દિવાળીની પૂજા સમયે માતા લક્ષ્મીને અર્પણ કરવાથી લાભ થાય છે. બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ રાખો.
એકાક્ષી નારિયેળ
દિવાળી પર એકાક્ષી નારિયેળને બજારથી ખરીદીને લાવવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીને એકાક્ષી નારિયેળ ખૂબ જ પ્રિય છે. તેથી પૂજાના સમયે તેનો સમાવેશ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિમાં ધન અને અનાજની કમી નથી રહેતી.