બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / Diwali 2021 jamghat festival of lucknow when people of lucknow flys kite on next day of diwali

Diwali 2021 / દિવાળીએ અહીં ફટાકડા નથી ફૂટતા, પતંગ ચગાવવામાં આવે છે, જાણો કારણ

Arohi

Last Updated: 01:13 PM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દેશમાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે આવતી કાલે એટલે કે શુક્રવારે દેશના ઘણા ભાગોમાં ગોવર્ધન પૂજા કરવામાં આવશે.

  • દેશના આ શહેરમાં દિવાળી પર ચગાવવામાં આવે છે પતંગ 
  • યોજવામાં આવે છે પતંગબાજીની સ્પર્ધાઓ 
  • જાણો શું છે પરંપરા

દિવાળીનો પર્વ ફક્ત એક દિવસનો નથી હોતો. પરંતુ આ આખા પાંચ દિવસ સુધી ચાલે છે. ધનતેરસના દિવસથી શરૂ થતા આ ફેસ્ટિવલને ભાઈબીજ સુધી ઉજવવામાં આવે છે. ધનતેરસ અને કાળીચૌદસ બાદ આજે દિવાળીનો પર્વ ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. આવતી કાલે નવું વર્ષ છે અને સાથે જ ગોવર્ધન પૂજા કરવામાં આવશે અને તેના બીજા દિવસે  ભાઈ બીજ સેલિબ્રેટ કરવામાં આવશે. 

પરંતુ ભારતમાં એક એવું શહેર છે જ્યાં ગોવર્ધન પૂજાના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. આ શહેરમાં મકરસંક્રાતિ પર નહીં પરંતુ દિવાળીના બીજા દિવસે પતંગ ચગાવવામાં આવે છે. 

કેમ ઉડાવવામાં આવે છે પતંગ? 
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌઉમાં દિવાળીના બીજા દિવસે એટલે કે ગોવર્ધન પૂજાના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. આમ તો દેશભરના અન્ય ભાગોમાં મકર સક્રાંતિના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. જોકે આ શહેરોમાં અક્ષય તૃતીયા, 15 ઓગસ્ટે પણ પતંગ ઉડાવવાનો રિવાજ છે. પરંતુ લખનૌઉ અને તેની આસ-પાસના ક્ષેત્રમાં જ દિવાળીના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. 

ધૂમધામથી કરવામાં આવે છે સેલિબ્રેટ 
જણાવી દઈએ કે દિવાળીના બીજા દિવસે લખનૌઉમાં જમઘટ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. જમઘટના રૂપમાં આ દિવસને એન્જોય કરવામાં આવે છે અને પતંગબાજી કરવામાં આવે છે. એવું નથી કે અહીં લોકો સાધારણ પતંગ બાજી કરે છે પરંતુ ઘણા અલગ અલગ કોમ્પિટિશનનું પણ આ શહેરમાં આયોજન કરવામાં આવે છે. જ્યાં અલગ અલગ જગ્યાના લોકો પતંગ ઉડાવે છે અને પેચ લડાવવાને લઈને ખૂબ કોમ્પિટિશન થાય છે. 

કહેવામાં આવે છે કે પતંગબાજીને નવાબોનો શોખ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે નવાબોના સમયમાં પતંગને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. જેમાં મોટાભાગે સોના અને ચાંદીના તારની સજાવટ કરવામાં આવે છે. આ પતંગ જેની છત પર કપાઈને પડતી હતી. તેમના ઘરે તે દિવસે પુલાવ બનતો હતો. લખનૌઉમાં પતંગનું ટૂર્નામેન્ટ પણ થાય છે જેમાં લોકો ઉત્સાહથી ભાગ લે છે. 

એવામાં લખનૌઉના રહેનાર લોકોનું કહેવું છે કે તે આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે જે લોકો ઘરથી બહાર હોય છે તે પણ આ દિવસે જરૂરથી ઘરે આવે છે અને પતંગબાજીની મજા લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ