મ્યુનિ. કોર્પોરેશન માટે ઓક્ટ્રોય બાદ આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ ગણાય છે. કોરોના મહામારીના કારણે પ્રોપર્ટી ટેક્સ આવકની ગાડી પાટા પરથી ઊતરી ગઇ હતી, જોકે ચાલુ નવેમ્બર મહિનાથી મ્યુનિ. તિજોરીમાં ટેક્સબિલના વિતરણથી રોજેરોજ રૂ.બે કરોડ ઠલવાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં તંત્રને રૂ.૬૧૦ કરોડની આવક થઇ ચૂકી છે, જોકે કોરોના ઇફેક્ટ તરીકે સત્તાધીશો આર્થિક મંદીની ઝાળથી દાઝેલા વેપારીઓ પર બાકી પ્રોપર્ટી ટેક્સબિલને લઇ કાયદાનો દંડૂકો ઉગામવાના નથી. બીજા અર્થમાં વેપારીઓ મોકળાશથી તેમનો વેપાર દિવાળીના આ સપરમા દિવસોમાં કરી શકશે.
ટોચના હોદ્દેદારોને પણ તંત્રમાં કોઇને ભલામણના ફોન નહીં કરવા પડે
તંત્ર બીજી વખત ટેકસબિલ વહેંચશે નહીં
દરરોજ પ૦,૦૦૦ બિલનું વિતરણ થતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે
આમ તો દર નાણાકીય વર્ષમાં દશેરા બાદ તંત્ર પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સને નોટિસ ફટકારીને લાલ આંખ કરે છે. દશેરા પછી રૂિટન પ્રક્રિયા મુજબ પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરની કોમર્શિયલ મિલકતને પણ સીલ મારે છે. એક અંદાજ પ્રમાણે દશેરાથી દેવદિવાળી દરમિયાન ૧,૦૦૦ મિલકતને તાળાં લાગે છે.
તંત્ર દ્વારા બાકી પ્રોપર્ટી ટેકસધારકો સામે સીિલંગ ઝુંબેશ હાથ ધરાઇ નથી
જોકે કોરોના મહામારીના કારણે આ વખતે તંત્ર દ્વારા બાકી પ્રોપર્ટી ટેકસધારકો સામે સીિલંગ ઝુંબેશ હાથ ધરાઇ નથી. કોરોનાથી વેપાર-ધંધાની રોનક ઊડી ગઇ છે. આ સંજોગોમાં અનેક વેપારીઓને સામાન્ય આવક મેળવવાનાં ફાંફાં થઇ પડ્યાં છે. બીજી તરફ લોકોની ઓનલાઇન ખરીદી વધી છે. બજારમાં ખરીદીના અભાવથી અત્યાર સુધી દુુકાનોમાં કાગડા જ ઊડતા હતા. હવે દિવાળીથી બજારમાં રંગત આવી છે, પરંતુ કોરોનાથી બેહાલ સેંકડો વેપારીઓને તેમનો ધંધો કાં તો બંધ કરવો પડ્યો છે અથવા તો બદલવો પડ્યો છે. જો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીિલંગ ઝુંબેશની રૂિટન કામગીરી હાથ ધરાય તો આવા વેપારીઓને દાઝ્યા પર ડામ જેવું થાત એટલે પણ સત્તાવાળાઓએ સીલિંગ ઝુંબેશને મુલતવી રાખી છે.
દરરોજ પ૦,૦૦૦ બિલનું વિતરણ થતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે
બીજી તરફ શહેરમાં પ્રોપર્ટી ટેક્સબિલનું વિતરણ જોરશોરથી ચાલુ છે. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના સાત ઝોન પૈકી દિક્ષણ ઝોન સિવાયના તમામ ઝોનમાં ટેકસબિલનું વિતરણ હાથ ધરાયું છે. આ છ ઝોનનાં કુલ ૧૮ લાખ બિલ પૈકી ૧૦ લાખ બિલ વહેંચાઇ ગયાં છે. દરરોજ પ૦,૦૦૦ બિલનું વિતરણ થતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત આગામી સમયમાં યોજાનારી મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના કારણે પણ સત્તાધીશો વેપારીઓને નારાજ કરવા માગતા નથી એટલે કોરોનાથી ધંધા-રોજગારમાં ફેલાયેલી મંદી, ટેકસબિલનું વિતરણ અને ચૂંટણીના કારણે તંત્ર ‘નરમ દિલ’ બન્યું હોવાની ચર્ચા ઊઠી છે.
ટોચના હોદ્દેદારોને પણ તંત્રમાં કોઇને ભલામણના ફોન નહીં કરવા પડે
એ જે હોય તે પણ શહેરમાં ૪.પ૦ લાખ કોમર્શિયલ મિલકતધારકો બાકી પ્રોપર્ટી ટેક્સના મામલે હાલ પૂરતી તો ચોક્કસ હળવાશ અનુભવી શકશે. અગાઉ દિવાળીના તહેવારમાં જે તે મિલકતને લાગેલાં સીલને ખોલાવવા માટે કેટલાક વગદાર કોર્પોરેટરોને દોડધામ કરવી પડતી હતી. હવે આવા ટોચના હોદ્દેદારોને પણ તંત્રમાં કોઇને ભલામણના ફોન નહીં કરવા પડે અને તેઓ પણ હળવાફૂલ થઇને દિવાળી માણી શકશે તેમ પણ મ્યુનિ. વર્તુળોમાં કટાક્ષમાં ચર્ચાઇ રહ્યું છે.
તંત્ર બીજી વખત ટેકસબિલ વહેંચશે નહીં
દક્ષિણ ઝોનમાં આગામી તા.૧ ડિસેમ્બરથી ટેકસબિલનું વિતરણ કરાશે. આ ઝોન ઉપરાંત કઠવાડા અને ચિલોડામાં પણ તે દિવસથી બિલ વહેંચાશે. દક્ષિણ ઝોનમાં ૩.પ૦ લાખ, કઠવાડામાં ૧૪,૦૦૦ અને ચિલોડામાં ૮,૦૦૦ કરદાતા છે, જ્યારે બોપલ-ઘુમાના ૪પ,૦૦૦ કરદાતાઓને અાગામી નાણાકીય વર્ષ ર૦ર૧-રરથી પ્રોપર્ટી ટેક્સનાં બિલ મળશે. બોપલ-ઘુમાના નાગરિકોએ ચાલુ વર્ષ ર૦૧૯-ર૦ માટે નગરપાલિકામાં પ્રોપર્ટી ટેક્સની ભરપાઇ કરી હોઇ મ્યુનિ. તંત્ર બીજી વખત ટેકસબિલ વહેંચશે નહીં.
વર્ષોવર્ષથી ચાલતી જૂની ટેક્સ ફોર્મ્યુલા અને નવી ટેક્સ ફોર્મ્યુલા આધારિત બાકી ટેક્સ રકમનાે આંકડો વધીને રૂ.૧પ૦૦ કરોડની ઉપર પહોંચી ગયો છે, તેમાં બાકી રકમ પર લેવાતાં ૧૮ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાળો નાનોસૂનો નથી, જેના કારણે આ બાબતે પણ તંત્રે ગંભીર થવાની જરૂર છે તેવી પણ ચર્ચા ઊઠી છે.