રામનગરી અયોધ્યામાં શાનદાર રીતે અયોધ્યા ઉજવવામાં આવી રહી છે અને મંદિરના શિલાન્યાસ બાદ પહેલી દિવાળી છે જેને લીધે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અયોધ્યાની સરયૂ નદીનો તટ સાડા પાંચ લાખથી વધુ દીવડાંઓથી ઝળહળી રહ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથે આવતા વર્ષ માટે મોટી જાહેરાત કરતા કહ્યું કે અમે રામની પૈડીને અવિરલ બનાવી પરંતુ તેનો વિસ્તાર પણ કર્યો અને આ વર્ષે 5.51 લાખ દિપક ઝળહળી રહ્યા છે આવતા વર્ષે આ સંખ્યા 7.51 લાખ પહોંચી જશે.
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે રામના કામમાં કોઈની સાથે કોઈ અન્યાય નથી, બધા માટે ન્યાય છે અને કોરોનાનો ખતરો ન હોત તો કાર્યક્રમ હજુ પણ વિશાળ હોત.
તેમણે વધુમાં કહ્યું એ પીએમ મોદીની પ્રેરણાથી પાંચ સદી બાદ પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણનો માર્ગ સરળ બન્યો છે અને કોરોના કાળમાં લોકૉની સેવા સાથે વિકાસની પ્રક્રિયાને રોકવામાં આવશે નહીં.
#Deepotsav2020 के पावन अवसर पर राममय हुई राम नगरी अयोध्या में प्रभु श्रीराम की गुरुकुल शिक्षा से लेकर राम वनगमन, केवट संवाद, सीता हरण, राम-रावण युद्ध और पुत्रेष्टि यज्ञ जैसी विभिन्न झांकियां देखने को मिलीं। #DiwaliAyodhyaWalipic.twitter.com/IwtwQUYh7E
અયોધ્યામાં આજે દિવાળીની પહેલાની સંધ્યાએ યોગી આદિત્યનાથે રામલલાના સામે દિપક પ્રજ્વલિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા.
અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદીરનો પાયો નાખ્યા બાદ આ પહેલી દિવાળી છે અને એવામાં ઉલ્લાસમાં કોઈ જ કમી રાખવામાં આવી રહી નથી. રામની અયોધ્યા નગરીને દીવડાંઓથી રોશન કરી દેવામાં આવી અને આશરે 5.50 લાખ દીવાઓનો રેકોર્ડ બનાવવામાં આવ્યો.