એશિયાનો સૌથી મોટો રોપવે જૂનાગઢમાં પ્રધાનમંત્રી હસ્તે લોકાર્પણ થયા બાદ દિવાળીના તહેવારોમાં પ્રવસીઓનો ધસારો જોવા મળી રહયો છે. પ્રવાસીઓ રોપવેમાં બેસીને માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે. ઉદઘાટન થયા બાદ અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોએ રોપવેનો લાભ લીધો છે. તો દિવાળીના દિવસો દરમિયાન પ્રવાસીઓને ધસારા વચ્ચે યોગ્ય સુવિધા મળી રહી તે અંગે પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે.
જૂનાગઢ રોપવેમાં પ્રવાસીઓની ભીડ
ધસારાને મેનેજ કરવા ઊભી કરાઈ સુવિધા
23 હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત
એશિયાનો સૌથી મોટો રોપવે જૂનાગઢમાં પ્રધાનમંત્રી હસ્તે લોકાર્પણ થયા બાદ દિવાળીના તહેવારોમાં પ્રવસીઓ ની ઘસારો જોવા મળી રહયો છે રોપર્વેમાં બેસીનેમાં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે.
કોવિડ 19 ચુસ્તપણે પાલન થાય તેનું ખાસ તકેદારી રખાય છે.
ગિરનાર રોપવે 26 ઓક્ટોબરથી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 23 હજાર પ્રવાસીઓએ ગિરનાર રોપવેની સફર કરવામાં આવી હાલ દિવાળીના દિવસોમાં પ્રવાસીઓ પ્રથમ વખત રોપવેની સફર કરતા જોવા મળે છે ત્યારે રોપવે કંપની તરફથી લોકોને સારી સુવિધા મળે તે માટે શૌચાલય પ્રવસીઓ માટે સમયાણું તેમજ કોવિડ 19 ચુસ્તપણે પાલન થાય તેનું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
ગિરનાર રોપવે તરફથી જૂનાગઢ વાસીઓને દિવાળી તહેવારોમાં 15 નવેમ્બર સુધી 590 ટિકીટનો દર રાખવામાં આવ્યો છે અને જ્યારે બહારથી આવતા પ્રવસીઓ માટે 700 રૂપિયા ટિકીટનો દર રાખવામાં આવ્યો છે જ્યારે ભાવ વધારાના મુદ્દે અનેક લોકોનો વિરોધ જોવા મળી રહયો છે ત્યારે કંપની તરફથી મેનેજમેન્ટ નક્કી કરશે ત્યારબાદ ટિકટના દર માં ફેરફાર થવાની શકયતા.
કુદરતી સૌંદર્યોનો રોપવેમાં બેસી આનંદ માણ્યો
ગિરનાર રોપવે પ્રવસીઓ માટે ખૂબ ફાયદાકારક છે વર્ષોથી જે લોકો ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી મંદિરે માં અંબાના દર્શન કરવા નથી જય શક્યા તેના માટે રોપવે માં બેસીને આસાનીથી ગિરનાર પર્વત પર જય શકે છે ત્યારે આવનારા લોકોનું પણ કહેવું છે રોપવેની કામગીરી ખૂબ સુંદર છે ઘણા વર્ષો પછી ગિરનારની યાત્રા કરીમાં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને કુદરતી સૌંદર્યો નો રોપવેમાં બેસી આનંદ માણ્યો.