ગુજરાતમાં આજે ધામધૂમથી ધનતેરસની પૂજા કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા
અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિશેષ પૂજા
સિવિલ સુપરિટેન્ડેન્ટ પણ પૂજામાં જોડાયા
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવી વિશેષ પૂજા કરવામાં આવે છે. સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી સહિત ડોકટર પૂજામાં જોડાયા હતા. નર્સ, ડોકટર સહિત હોસ્પિટલના સ્ટાફ દ્વારા પૂજા કરવામાં આવી છે. દર વર્ષે ભગવાન ધન્વંતરિની સિવિલ હોસ્પિટલમાં પૂજા કરાય છે.
કોરોના મહામારી ઝડપથી દૂર થાય તેવી પ્રાર્થના ડોક્ટરોએ કરી
ધન્વંતરિ ભગવાને વૈદ્ય અને ચિકિત્સકોના ભગવાન મનાય છે. તબીબો માટે ધનતેરસનો દિવસ ખુબ જ મહત્વપુર્ણ હોય છે. ભગવાન ધન્વંતરિને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. કોરોના મહામારી સામે લડવાની હિંમત ભગવાન આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. કોરોના મહામારી ઝડપથી દૂર થાય તેવી પ્રાર્થના ડોક્ટરોએ કરી છે.