અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થવાને કારણે હવામાનમાં પલટો આવ્યો છે. આ ડિપ્રેશન 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. જેને પગલે ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં વરસાદ વરસી શકે છે.
સમુદ્રમાં ડિપ ડિપ્રેશને લીધુ વાવાઝોડાનું રૂપ
માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 492 કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય
આજથી તહેવારોના રાજા દિવાળીના પાંચ દિવસના પરબલાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી આપી છે.
અરબી સમુદ્રામાં હવાનું દબણ રત્નાગીરીમાં કેન્દ્રિત થયું
હવાના દબાણના કારણે ગુજરાતમાં વરસાદ થશે. હવાનું દબાણ મુંબઇથી દરિયામાં ફંટાઇ જવાની સંભાવના છે. મુંબઇથી ઓમાન તરફ ફંટાવાની પણ શક્યતા છે. આરબી સમુદ્રામાં પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ થશે જેમાં હળવાથી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
દ્વારકાના માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 492 કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે.
કયા કયા વિસ્તારને દરિયો ન ખેડવા અપાઈ તાકિદ
વાવાઝોડાની શક્યતાના પગલે દ્વારકાના મત્સઉદ્યોગ વિભાગના અધિકારીએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દ્વારકાના સલાયા, વાડિનાર, ભોગાત, નાવદ્રા બેટના બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે.
સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ થશે
ગીર સોમનાથ, દ્રારકા, પોરબંદર, અમરેલી, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદ પણ થઇ શકે.
ખેતીમાં સર્જાશે તારાજી
રાજ્યમાં એક તરફ ખેડૂતોની મગફળી અને ડાંગર સહિતના અનેક પાકો તૈયાર થઈ ગયા છે. રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ઠેરઠેર મગફળી સહીતની ઉપજની આવક થઈ રહી છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતામાં છે. તહેવારના સમયે વરસાદથી ખેડૂતોને પારાવાર નુકશાન થવાની શક્યતા છે. એક બાજુ મગફળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થાય તેવી શક્યતા છે.
હજુ પણ રાજ્યમાં ચોમાસુ વિદાય નથી થયુ
અઠવાડિયાથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે અમેરલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકશાની થઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની સમસ્યામાં વધારો થવાની સંભાવના છે.