દિવાળીની શરૂઆત ધનવતંરીની પૂજા એટલે કે ધનતેરસથી થાય છે. આ દિવસે નવા વાસણ અથવા સોના ચાંદી વગેરે ખરીદવાની પરંપરા હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં નવો સામાન લાવવાથી ઘરમાં ક્યારેય રૂપિયાની કમી રહેતી નથી.
વાસ્તુ અનુસાર જો ધનતેરસ પર કેટલીક ખાસ ચીજ ખરીદવામાં આવે તો વર્ષ દરમિયાન તમારું ઘર પૈસાથી ભરેલું રહે છે. જાણો એ કઇ ચીજ છે.
ધનતેરસના દિવસે લાલ કપડું ખરીદવું સારું રહે છે
કુબેર યંત્ર ખરીદવાથી શુભ પરિણામ મળે છે
ધનતેરસના દિવસે ઘમાં ધનવતંરીની મૂર્તિ અથવા ફોટો લાવવો શુભ હોય છે. કારણ કે આ દિવસે એમની જ પૂજા થાય છે. તમે ઇચ્છો છો કુબેર યંત્ર પણ લાવી શકો છો. એનાથી આખું વર્ષ ધન રહેશે.
ધનતેરસના દિવસે ઘરમાં નવું ઝાડું લાવવું પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે એનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
ઘરમાં ખુશહાલી લાવવા માટે ધનતેરસના દિવસે ગણેશની મૂર્તિ લાવવી સારી રહે છે. એનાથી વિદ્યા અને બુદ્ધિનો વિકાસ થશે.
ધનતેરસના દિવસે સોના અથવા ચાંદીની ખરીદી ખૂબ શુભ હોય છે. આ ધાતુઓમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. તમે ઇચ્છો તો ગણેશ લક્ષ્મીનો ચાંદીનો સિક્કો પણ લઇ શકો છો.
ભાગ્યને તેજ બનાવવા માટે ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની અષ્ટધાતુની મૂર્તિ ઘર લાવવી પણ સારી હોય છે.
ધનતેરસના દિવસે શંખ ખરીદવો પણ સારો માનવામાં આવે છે. એને ભગવાનની સામે રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે.
ધનતેરસના દિવસે મીઠું ખરીદીને લાવવું પણ સારું રહે છે. એનાથી ગરીબી દૂર થાય છે.
ધનતેરસના દિવસે ઘરમાં નવા વાસણ ખરીદીને લાવવા પણ શુભ માનવામાં આવે છે. એનાથી મા અન્નપૂર્ણાની કૃપા થાય છે.
ધનતેરસના દિવસે નવા કપડાં ખરીદીને લાવવા પણ સારા હોય છે. જો કપડાનો રંગ લાલ હોય તો એ વધારે શુભ હોય છે.
ધનતેરસના દિવસે ક્રિસ્ટલનો કાચબો અથવા પિરામિડ લાવવો પણ સારો રહે છે. ફેંગશુઇના અનુસાર એને લાવવાથી ઘરમાં ધનનું આગમન થાય છે.