તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે કે ઘરમાં બનતી પહેલી રોટલી અલગથી નીકાળીને રાખવી જોઇએ. કોઇ ગાયને ખવડાવે છે તો કોઇ કૂતરાંને.. શાસ્ત્રો અનુસાર ઘરની પહેલી રોટલી ને હંમેશા અલગ રાખવામાં આવે છે.
અલગ રાખેલી રોટલીના ચાર બરાબર ટૂકડા કરી લો અને પછી એક ટૂકડો ગાયને અને બીજો કૂતરાને ખવડાવો. બાકી બચેલા બે ટૂકડા કાગડાને ખવડાવવા માટે છતમાં પર મૂકી દો અને એકને ઘરની આસપાસના ચાર રસ્તા પર રાખી દો. જો તમે વિચારી રહ્યા છો કે આનાથી શુ થશે તો તમને જણાવી દઇએ કે આ ચારેય લોકોનો સીધો સંબંધ પિતૃઓ સાથે હોય છે. આમ કરવાથી પ્રિતૃગણ પ્રસન્ન થાય છે અને તમામ મુશ્કેલીઓ દૂર થઇ જાય છે.
શાસ્ત્રો અનુસાર દિવાળીના દિવસે ઘરની પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઇએ. આ દિવસે ઘરની પહેલી રોટલી ગાય માટે અલગ રાખવી જોઇએ જે પછીને તમામ રોટલી ઘરના લોકોએ ખાવી જોઇએ.
હિંદૂ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યુ છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓ વાસ કરે છે. જ્યાં દિવાળીના દિવસે ઘરની પહેલી રોટલી ગાય ખવડાવવામાં આવે તો તેનો મતલબ એમ થાય છે કે તમામ દેવી-દેવતાઓને રોટલી ખવડાવી. આમ કરવાથી તે વ્યકિતની તમામ મનોકામના પૂરી થાય છે અને ઘરમાં ખુશી અને સમુદ્ઘિ રહે છે. આ માટે દિવાળીને દિવસે ઘરની પહેલી રોટલી ગાયને જરૂરથી ખવડાવો.
દિવાળીના દિવસ સિવાય પણ રોજ રોટલી અલગ રાખો. જો તમારા ઘરમાં લડાઇ-ઝઘડા થતા રહે છે તો શનિવારના દિવસે પહેલી રોટલી કૂતરાને ખવડાવો. આમ કરવાથી પરિવારમાં થતો મતભેદ દૂર થઇ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.