બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અને મોડલ દિવ્યા ચોકસેનું રવિવારે નિધન થઈ ગયું છે. આ જાણકારી તેની મિત્ર નિહારિકા રાયજાદાએ એક ફેસબુક પોસ્ટના માધ્યમથી આપી છે. દિવ્સા ચોકસે લાંબા સમયથી કેન્સરથી પીડિત હતી. સાથે જ તે આર્થિક તંગીમાંથી પણ પસાર થઈ રહી હતી. તેણે નિધન પહેલાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લી પોસ્ટ લખી હતી કે તે મૃત્યુ શૈયા પર છે. તેની આ પોસ્ટ હવે ખૂબ વાયરલ થઈ રહી છે.
દિવ્યાએ ટ્વિટર પર પણ મદદ માંગી હતી. જોકે, કોઈ તેની મદદ માટે આગળ નહોતું આવ્યું. દિવ્યાએ 'હૈ અપના દિલ તો આવારા' ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 12 જુલાઈએ દિવ્યાએ અંતિમ શ્વાસ લીધા. ત્યારે નિધનના થોડાં સમય પહેલાં દિવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- જે હું કહેવા માંગુ છું તેના માટે મારી પાસે શબ્દ નથી, પરંતુ હું જણાવવા માંગુ છું કે હું મૃત્યુ શૈયા પર સૂતી છું.
Does anyone knows of misseltow Therepy ? I need it help
તેણે આગળ લખ્યું- હું બહુ જ મજબૂકત છું. પ્લીઝ મને કોઈ સવાલ ન પૂછતા. બસ મારો ભગવાન જાણે છે કે તે મારી સાથે શું કરવા માંગે છે. હવે તેની કઝિન બહેન સૌમ્યા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, દિવ્યાનું નિધન થઈ ગયું છે. એક્ટ્રેસના નિધનથી તેના મિત્રો અને પરિવારજનો આઘાતમાં છે.
ઉલ્લેખનીય છે કે, 28 એપ્રિલે ઈરફાન ખાન અને 29 એપ્રિલે રીષિ કપૂરે કેન્સરને કારણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ બંને સ્ટાર લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યાં છે અને પછી તબિયત બગડતા બંનેનું નિધન થઈ ગયું હતું.