મુંબઇ પોલિસે કહ્યું કે, આ કેસ એક એક્સિડન્ટ છે. વાત છે 5 એપ્રિલ 1993ની, જગ્યા મુંબઇનો વર્સોવા વિસ્તાર. તુલસી અપાર્ટમેન્ટનો પાંચમો માળ...બસ આ જ જગ્યાએથી રાત્રે 11.30 વાગે મશહૂર અભિનેત્રી દિવ્યા ભારતી નીચે પડી હતી. નજીકમાં જ હતુ કૂપર હોસ્પિટલ ત્યાં દિવ્યાને લઇ જવામાં આવી અને તેણે ત્યાં છેલ્લા શ્વાસ લીધા. બાદમાં હિન્દુ રિતી રિવાજ મુજબ પતિ સાજીદ નાડિયાદવાલાએ દિવ્યાના અંતિમ સંસ્કાર કર્યા.
દિવ્યાભારતીના મોતનું રહસ્ય
19 વર્ષની ઉંમરમાં અભિનેત્રીનું થયુ નિધન
સાજીદ નાડિયાદવાલાએ કર્યા અંતિમસંસ્કાર
શું હતી સમગ્ર ઘટના
ઓમ પ્રકાશ ભારતી અને મીતા ભારતીની દીકરી દિવ્યા ભારતીએ 14 વર્ષની ઉંમરમાં ભણવાનુ છોડી દીધુ. 14 વર્ષની ઉંમરમાં તેણે મૉડેલિંગ કરી લીધુ હતુ. ગોવિંદાના ભાઇ કીર્તિ કુમારે તેને હિરોઇન તરીકે સાઇન કરી લીધી હતી પરંતુ વાત બની નહી અને પ્રોજેક્ટ પડતો મુકાયો. દિવ્યાએ તેલૂગુ ફિલ્મ બૂબલી રાજામાં વેંકટેશના ઓપોઝીટ એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું. જે ફિલ્મ સુપર હિટ રહી. હિન્દી ફિલ્મ વિશ્વાત્માથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી, ત્યાં સુધી તે તેના પરિવાર સાથે રહેતી હતી. દિવ્યાનો નાનો ભાઇ પણ છે જેનુ નામ કુણાલ છે.
એક દિવસ શોલે ઓર શબનમના સેટ પર સાજીદ નડિયાદવાલા આવ્યા અને દિવ્યા સાથે મુલાકાત થઇ. દોસ્તી અને પ્રેમ બાદ 18 વર્ષથી થવા પર બંનેએ લગ્ન કરી લીધા. દિવ્યાના પિતા આ લગ્નના વિરુદ્ધ હતા પરંતુ તે તેના પરિવારનો ખર્ચ ઉઠાવતી રહી. એક ફિલ્મ માટે નીતા લૂલ્લા, તેમના પતિ અને મેઇડ અમૃતા ઘરમાં હતા, ત્યારે દિવ્યા બારીમાં પગ લટકાવીને બેઠી હતી. આ જોઇને કોઇ કઇ બોલ્યુ નહી કારણકે, દિવ્યા માટે આ બધુ નોર્મલ હતુ. નીતા, તેના પતિ અને દિવ્યાએ સાથે ડ્રિન્ક પણ લીધુ હતું. નોકરાણી અમૃતા દિવ્યા અને મહેમાનો માટે ચખના બનાવતી હતી અને નીતા તેમજ તેનો પતિ વીસીઆરમાં કંઇક જોઇ રહ્યાં હતા. બસ તે જ સમયે દિવ્યાનો હાથ લપસ્યો અને તે બારીમાંથી નીચે પડી ગઇ. ઘરમાં રહેલા બધા જ લોકો નીચે ગયા ત્યારે તેના શરીરમાંથી ઘણુ બધુ લોહી વહી ગયુ હતુ. દિવ્યાને નજીકના કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવી અને ત્યાં તેણે છેલ્લા શ્વાસ લીધા.
પતિ સાજીદ નાડિયાદવાલાએ દિવ્યાના હિંદુ રિતીરીવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા અને કેસની તપાસ વર્સોવાના ઇન્સપેક્ટર જેજી જાધવને સોંપવામાં આવી. દિવ્યાની મોત આત્મહત્યા કે હત્યા નહી પરંતુ દુર્ઘટના માનીને કેસને બંધ કરી દેવામાં આવ્યો. દિવ્યાની નોકરાણી અમૃતા અભિનેત્રીના મોત બાદ ડિપ્રેશનમાં આવી ગઇ હતી અને એક મહિનામાં જ તે ગુજરી ગઇ. જો તે જીવતી રહી હોત તો તેની પાસેથી મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઇ શકી હોત.
પોલિસને થયા હતા આ સવાલ
દિવ્યા ભારતી બારીમાં જઇને કેમ બેઠી?
દિવ્યાનો પતિ સાજીદ તે સમયે ક્યાં હતો?
નીતા લૂલ્લા અને તેના પતિએ કેમ તે ઘટના ન જોઇ?
શું તે પિતાના વર્તનથી પરેશાન હતી?
દિવ્યાની માતા જુગાર રમતી હતી તેના લીધે આત્મહત્યા કરી?
દિવ્યા ભારતીના મોત બાદ તેની બે ફિલ્મો રિલીઝ થઇ હતી, જેનુ ગીત તુજે ના દેખુ તો ચેન મુજે આતા નહી હે ખુબ ફેમસ થયુ હતુ. દિવ્યાએ અનિલ કપૂરની ફિલ્મ લાડલાનુ 80 ટકા શૂટિંગ પૂર્ણ કરી લીધુ હતુ બાદમાં શ્રીદેવીએ દિવ્યાને રિપ્લેસ કરી હતી.
સાજીદ નાડિયાદવાલાએ કર્યા બીજા લગ્ન
સાજીદે 2004 સુધી જે પણ ફિલ્મો બનાવી તે ફિલ્મો દિવ્યાને ડેડીકેટ કરી બાદમાં તેણે લગ્ન કરી લીધા. તે સમયે પત્રકાર વર્ધા ખાન દિવ્યા ભારતીના નિધન પર સ્ટોરી કરી રહી હતી. બાદમાં બંનેમાં દોસ્તી થઇ પ્રેમ થયો અને લગ્ન કરી લીધા.