મહારાષ્ટ્રના કાલ્હોપુર પાસેથી એક હેરાન કરી દે તેવો મામલો સામે આવ્યો છે. જ્યાં બે બહેનો વર્જીનીટી ટેસ્ટમાં ફેઇલ થઇ તો તેના પતિએ જાટ પંચાયત બોલાવી લીધી હતી.
બે બહેનોનો કરવામાં આવ્યો વર્જીનીટી ટેસ્ટ
બંને પતિએ કરી મારઝૂડ અને જાટ પંચાયત બોલાવી
બહેનોને ઘરની બહાર કાઢી મૂકી
પતિ, સાસુ અને જાટ પંચાયત વિરુદ્ધ કેસ
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર પોલીસે આ મામલામાં બંને પીડિત મહીલાએના પતિ તેમની સાસુ અને જાટ પંચાયતના સદસ્યો વિરુદ્ધ કેસ નોંધ્યો છે જેમણે બંને બહેનોને ડિવોર્સ લેવાનુ કહ્યુ હતુ.
ગયા ગુરુવારે આ મામલામાં એફઆઇઆર નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા પ્રમાણે ફરિયાદ નોંધી છે.
સાસરામાં થયો વર્જીનીટી ટેસ્ટ
ફરિયાદ અનુસાર બંને બહેનો કંજરભાટ સમુદાયથી છે. બંને બહેનોના લગ્ન 27 નવેમ્બર 2020ના રોજ કોલ્હાપુરમાં રહેનારા બે છોકરા સાથે થયા હતા. લગ્ન બાદ અલગ અલગ બેડરૂમમાં લઇ જઇને વર્જીનીટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે વર્જીનીટી ટેસ્ટ કરવો તેમના સમુદાયની પરંપરા છે.
વર્જીનીટી ટેસ્ટમાં ફેલ થયા બાદ પતિએ લગાવ્યા ગંભીર આરોપ
મહત્વનુ છે કે વર્જીનીટી ટેસ્ટમાં કથિત રૂપે ફેઇલ થયા બાદ આરોપિયોએ બંને બહેનો પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું કે લગ્ન પહેલા તે બીજા કોઇ સાથે પણ સંબંધ બનાવી ચૂકી છે જે બાદ પતિ-પત્નીમાં ઝઘડો વધી ગયો હતો.
પીડિત મહિલાઓની ફરિયાદ અનુસાર સાસરે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેમના ઘરના લોકો પાસે દહેજ પણ માંગવામાં આવ્યુ. જ્યારે આ વાત અટકી નહી તો તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.